જમીલ પઠાણ/છોટાઉદેપુર: બોડેલી મોરખલા પાસે કેનાલના બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટનામાં એક સાથે ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થતા અજુબાજુના વિસ્તારના લોકોના ટોળા એકઠા થયા હતા. આ હિટ એન્ડરનની ઘટનામાં બાઇક સવાર સહિત ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરીને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકસ્માત થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. અકસ્માત થતા મોરખલા બ્રિજ પર કેનાલ પર મોટી સંખ્યામાં વાહનોની લાઇનો લાગી હતી. સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુન્હો નોધી ફરાર થયેલા ડ્રાયવરને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.


લક્ઝુરિયસ લાઇફ સ્ટાઇલ છોડી જામનગરની યુવતિએ કર્યો સંસારનો ત્યાગ


પોલીસને તપાસ કરતા જાણાવ મળ્યું કે, અકસ્માતમાં મોત થયેલા તમામ યુવાનો પાવી જેતપુરના રહેવાસી છે, પોલીસે મોતને ભેટેલા યુવાનોના પરિવારને જાણ કરીને મૃતદેહને નજીકની હોસ્પિટલમાં પીએમ કરવા માટે ખસેડ્યા છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.