ગાંધીનગર:  ગુજરાતમાં આજે કોરોનાના આંકડા આંખ ઉઘાડનારા આવ્યા છે. આજે કોરોનાના નવા 31 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 14 દર્દીઓ સાજા પણ થયા. અત્યાર સુધીમાં કુલ 8,16,260 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો ગુજરાતનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 3,64,199 ડોઝ એક જ દિવસમાં આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકતા દિવસે SOU માં સમગ્ર દેશની પોલીસ કરશે એવા કરતબ કે દિલ્હીની પરેડ ફિક્કી લાગશે


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 208 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટીલેટર પર છે. 203 નાગરિકો સ્ટેબલ છે. 8,16,260 નાગરિકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10089 નાગરિકોનાં  અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. સુરતમાં એક નાગરિકનું આજે કોરોનાને કારણે મોત નિપજ્યું હતું. જામનગર કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશન 5, વલસાડમાં 4, સુરત 3, સુરત કોર્પોરેશન 3, અમદાવાદ કોર્પોરેશન, આણંદ, જુનાગઢ, કચ્છ અને રાજકોટ કોર્પોરેશનમાં 2-2 કેસ નોંધાયા હતા. જ્યારે નવસારીમાં 1 કેસ નોંધાયો હતો. 


SURAT: જીજાજી એકલા સુઇ રહ્યા હતા ત્યારે સાળીએ તેમને સ્વર્ગની સફર કરાવી પણ પછી...


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 9 ને પ્રથમ ડોઝ, 1540 ને બીજો ડોઝ આપવામાં આવ્યા હતા. 45 વર્ષથી વધારેની ઉંમરના 11925 નાગરિકોને રસીનો પ્રથમ અને 86530 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના 35203 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 228992 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે એક જ દિવસમાં કુલ 3,64,199 રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા હતા. 70606421 નાગરિકોનું અત્યાર સુધીમાં રસીકરણ થઇ ચુક્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube