સુરતઃ પૂણાગામ વિસ્તારમાં દંપતિએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. પોતાના ફલેટમાં જ દંપતીએ જીવન ટુંકાવ્યુ છે. આપઘાતની જાણ થતા લોકોના ટોળાની સાથે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. 


મૃતક હરીરામ માંગીલાલ પ્રજાપતિ કાપડના વેપાર સાથે જોડાયેલો હતો. તેમણે પંખા સાથે દોરી બાંધીને આપઘાત કર્યો હતો. આસપાસના લોકોએ જણાવ્યું કે, થોડા દિવસ અગાઉ જ વેપારીની પુત્રી અન્ય યુવાન સાથ ભાગી ગઇ હતી. ત્યારે પુત્રીના ભાગી જવાના કારણે બન્ને પતિ-પત્ની ડિપ્રેશનમાં હોવાની પ્રાથમિક શક્યતા સેવાઇ રહી છે. દંપતિના મૃતદેહને પી.એમ માટે મોકલવામાં આવ્યો છે.