હીતલ પારેખ/ ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા વિરૂધ્ધ લગ્નની બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદોની તલસ્પર્શી તપાસ માટે ત્રણ મહિલા IAS અધિકારીઓ સહિત પાંચ સભ્યોની તપાસ સમિતીની રચના કરવામાં આવી છે. વહેલી તકે તપાસ પૂર્ણ કરીને પોતાનો અહેવાલ સત્વરે રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગ્ર સચિવ શ્રીમતી સૂનયના તોમર(IAS)ને તપાસ સમિતીના અધ્યક્ષા બનાવવામાં આવ્યા છે. અધ્યક્ષા ઉપરાંત અન્ય સભ્યોમાં શ્રીમતી મમતા વર્મા(IAS),  શ્રીમતી સોનલ મિશ્રા(IAS) અને તથા બિનસરકારી સભ્ય તરીકે નિવૃત્ત સંયુકત સચિવ શ્રીમતી દેવીબહેન પંડયા અને સભ્ય સચિવ તરીકે નાયબ – સંયુકત કે અધિક સચિવ કક્ષાના અધિકારી રહેશે. 


ઉલ્લેખનીય છે કે, ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર તરીકે ફરજરત હતા. તે દરમ્યાન તેમની સામે આક્ષેપો થતાં રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી તા.રર જુલાઇએ તેમની બદલી સંયુકત સચિવ(આયોજન) સામાન્ય વહીવટ વિભાગમાં કરી છે. 


દિલ્હી પીડિત મહિલાની ફરિયાદ બાદ IAS અધિકારી ગૌરવ દહિયા ગયા ક્યાં?


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....