અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રવિવારે તા.21 ફેબ્રુઆરી-2021ના રાજ્યમાં મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણીના મતદાન અન્વયે પોતાના મતદાન માટે બપોર બાદ રાજકોટ જવા માટે રવાના થયા હતા. મુખ્યમંત્રી હાલ યુ.એન. મહેતા હોસ્પિટલ અમદાવાદમાં કોવિડ-19 કોરોનાની સારવાર હેઠળ છે. આજે કરવામાં આવેલો તેમનો કોરોના ટેસ્ટ RT PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેના કારણે તેઓ સામાન્ય રીતે જ પોતાના કાફલા સાથે મતદાન કરવા માટે યુ.એન મહેતા હોસ્પિટલથી એરપોર્ટ જવા માટે રવાના થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીવતો જાગતો વ્યક્તિ અધિકારીઓની ભુલના કારણે મરી ગયો, પોતાના મૌલિક અધિકારથી રહ્યો વંચિત


અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વડોદરાની સભા દરમિયાન ભાષણ કરતા કરતા જ બેશુદ્ધ થઇને ઢળી પડ્યા હતા. ત્યાર બાદ તેમને તત્કાલ સારવાર માટે યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે તેઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. જેના પગલે તેમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન માટે પીપીઇ કીટ પહેરીને મોકલવા માટેનું આયોજન હોસ્પિટલ તંત્ર દ્વારા કરાયું હતું. જો કે આજે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓ સામાન્ય રીતે જ મતદાન કરવા માટે નિકળ્યાં હતા. 


પાંચ વર્ષમાં એકવાર પણ મતદાન ન કરીએ તો શિક્ષિત હોવાનો શું અર્થ?


વિશ્વસ્ત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તેઓ યુ.એન મહેતા હોસ્પિટલથી સીધા જ એરપોર્ટ જશે. જ્યાંથી પ્રાઇવેટ જેટ દ્વારા તેઓ રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચશે. 5.15 વાગ્યે પોતાનાં મતદાન મથક અનિલ જ્ઞાનમંદિર સ્કુલ, રૂમ નંબર 7 જીવનનગર સોસાયટી 1, બ્રહ્મસમાજ પાસે રૈયારોડ ખાતેના મતદાન મથકે મત આપશે. ત્યાર બાદ ફરી એકવાર એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ માટે રવાના થશે. ગાંધીનગર ખાતેના પોતાના નિવાસ સ્થાને હોમ ક્વોરન્ટાઇન થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube