હિતલ પારેખ/ગાંધીનગર :મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્યમાં અનાજ વિતરણ અંગે જણાવ્યું કે, 13 એપ્રિલથી 60 લાખ જેટલા એપીએલ રાશન કાર્ડ ધારકોને અનાજ અપાશે. આવા કુલ અઢી કરોડથી વધુ લોકોને અનાજ અપાશે. આવા લોકોને સામાન્ય સંજોગોમાં અનાજ અપાતુ નથી, પણ લોકડાઉનમાં અનાજ અપાશે. તેઓને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 દાળ અથવા ચણા અને 1 કિલો ખાંડ વિનામૂલ્યે આપવામાં આવશે. મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે સુખીસંપન્ન લોકો પણ આ કેટેગરીમાં આવે છે, તેથી તેઓ શક્ય હોય તો પોતાનો હક જતો કરે. જેથી જરૂરિયાતમંદ લોકોને સહાય મળે.