Gujarat Election 2022, ગૌરવ દવે/રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારુ નિવેદન આપીને રાજ્યની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સ્પષ્ટતા કરીને કહ્યું મારી ભાવના સર્વ ધર્મ સમભાવની હતી. ભાજપે આ ક્લીપ વાયરલ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરૂએ જણાવ્યું હતું કે, મેં પૂછ્યું હતું કે અલ્લાહ હું અકબર બોલાવું તો તમે મહાદેવ હર બોલશો. સામે બેઠેલી 5 હજાર જનતાએ મહાદેવ હરનો નાદ બોલાવ્યો હતો. હું હિન્દૂ-મુસ્લિમ એકતા ઇચ્છુ છું. પરંતુ ભાજપ દ્વારા આ કલીપ વાયરલ કરવામાં આવી રહી છે. આખી સ્પીચ સાંભળજો મારો કહેવાનો અર્થ શું છે તે ખબર પડી જશે.


ઈન્દ્રનીલ રાજગુરૂએ એવું પણ કહ્યું હતું કે, લોહી કાઢો ત્યારે બધું એક જ હોય છે, એમાં અલ્લાહ અને મહાદેવ ન હોય. હું સોમનાથ જાવ ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેરમાં પણ એટલો જ આનંદ આવે છે. અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે.ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ભાજપ અને સાધુ સંતોએ વાંધો ઉઠાવ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube