અમદાવાદ: ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આપાવામાં આવેલા અલ્ટિમેટમ બાદ 24 કલાકમાં જ કોંગ્રેસથી નારાજ અલ્પેશ ઠાકોરે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે અલ્પેશ ઠાકોરના રાજીનામાને લઇને નવો વળાંક આવ્યો છે. આ મુદ્દે પક્ષનું કહેવું છે કે, અલ્પેશ ઠાકોરનું રાજીનામું હજુ સુધી કોંગ્રેસ પ્રમુખને મળ્યું નથી. તેથી કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી સસ્પેન્ડ કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ગુજરાત હાઇકોર્ટનો આદેશ: 2017 દ્વારકાની ચૂંટણી રદ, પબુભા માણેકનું ધારાસભ્ય પદ થશે રદ


અલ્પેશ ઠાકોરે અનેક અટકળો વચ્ચે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે અલ્પેશ ઠાકોરે તેના રાજીનામા પત્રમાં લખ્યું હતું કે, મારું જીવન સમાજસેવા સાથે જોડાયેલું છે. હું રાજનીતિમાં પણ મારા સમાજ અને ગરીબોના ઉત્થાન માટેની વિચારધારા સાથે જોડાયેલો હતો. ગરીબો-પછાતોના ઘરમાં ઉજાસ કરવાના સપના મેં જોયા છે, જેને પુરા કરવા માટે મારા આત્મામાં સતત મંથન ચાલતું હોય છે.


વડોદરામાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનર, મત માંગવા ન આવવાની આપી ચેતવણી


આ અંગે કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી આ તમામ બાબતોના પુરાવા એકત્રિત કરી રહી છે. ત્યારેબાદ અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે અને સસ્પેન્ડ કર્યા બાદ ધારાસભ્ય પદેથી અલ્પેશને હટાવવાની પ્રક્રિયા હાથ ધરશે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...