દિયોદર(બનાસકાંઠા): કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોર ગુરુવારે દિયોદરમાં અપક્ષ ઉમેદવાર ઠાકોર સ્વરૂપજીના પ્રચાર માટે પહોંચ્યા હતા. અહીં જાહેર સભામાં અલ્પેશે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ આપમી સાથે વિશ્વાસ ઘાત કર્યો છે, તેને જવાબ આપવો પડશે. કોંગ્રેસમાં ટિકિટોના સાદો થાય છે. છેલ્લા 6 મહિનાથી મનોમંથન કરતો હતો અને હવે આખરે નિર્ણય લઈ લીધો છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, "આજે નવી વાત કરવા આવ્યો છું. નવા પ્રચાર માટે આવ્યો છું. આપણે વ્યસન મુક્તિની વાત કરી, શિક્ષણની વાત કરી ત્યારે આપણને રોકવાની કોશિશ કરાઈ છે. આપણે જ્યારે કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપ્યું ત્યારે ઘણા સપના હતા."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલ્પેશે જણાવ્યું કે, "કોંગ્રેસ પાર્ટી જ્યારે સંઘર્ષ કરતી હતી ત્યારે આપણે તેમને સમર્થન આપ્યું હતું. જે પાર્ટી છેલ્લી 3-4 ચૂંટણીમાં ખૂબ ઓછી સીટો જીતતી હતી તેને આપણે ખૂબ આગળ લઇ ગયા છીએ. હું કોંગ્રેસમાં જોડાયો ત્યારે આપણી સેનાને સન્માન અપાયું પણ ચૂંટણી પછી કોંગ્રેસ દ્વારા આપણા કાર્યકર્તાઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. ઘણા કહે છે કે, તમને તો બહુ આપ્યું, પણ ભાઈ એ અલ્પેશ એકલા માટે થોડું છે."


અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ પ્રથમ ઇન્ટરવ્યૂ, જુઓ વીડિયો


કોંગ્રેસમાં ટિકિટોના સોદા થાય છે
અલ્પેશે કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ લગાવતા કહ્યું કે, "આ પાર્ટીમાં લોકો ટિકિટ માંગવા જાય ત્યારે કહેવામાં આવે તમારી જોડે પૈસા છે. કયાંક ટિકિટોના સોદા પણ થતા હોય. કોંગ્રેસ પાર્ટીએ આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે તેને જવાબ આપવો છે." 


લોકસભા ચૂંટણીના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...