અમદાવાદઃ ગુજરાત કાંગ્રેસના પ્રમુખ દ્વારા છ જિલ્લા પંચાયતો કોંગ્રેસના હાથમાંથી સરકતાં કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરાઈ હતી. આ કોન્ફરન્સમાં બળવાખોરોને તાત્કાલીક સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, અમદાવાદના 6  ભાવનગર 3,  પાટણના 8, દાહોદના 9, મહિસાગરના 3 અને બરોડના 3 સભ્યોને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે ૨3 જિલ્લા પંચાયતમાં કાંગ્રેસનુ શાસન હતું અને ૧૮ જિલ્લા પંચાયતમાં જ પુન: સાશન સ્થાપિત થયું  છે.  કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ રૂપિયાના જોરે અને સત્તાના જોરે શામ, દામ, દંડ અને ભેદની નીતિનો ઉપયોગ કરી કોંગ્રેસને તોડવાનો પ્રયત્ન કર્યો છે. આ સાથે કોંગ્રેસે 32 તાલુકા પંચાયત પણ ગુમાવી દીધી છે. આ પહેલા 146 તાલુકા પંચાયત પર કોંગ્રેસનું શાસન હતું. હવે માત્ર 114 તાલુકા પંચાયતો પર કોંગ્રેસની સત્તા રહી છે.