પંચમહાલ : ઘોઘંબાની GFL કંપનીમાં થયેલ બ્લાસ્ટના ઘટના સ્થળ, ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનોની વિરોધ પક્ષ નેતા સુખરામ રાઠવાએ મુલાકત લઈ પરિવારજનો અને ઇજાગ્રસ્તોને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત વધારેમાં વધારે વળતર અપાવવાની પણ બાંહેધરી આપી હતી. વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ આજરોજ પંચમહાલ ઘોઘંબા નજીક આવેલ જીએફએલ કંપનીના પ્લાન્ટમાં થયેલ બ્લાસ્ટ મામલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BHAVNAGAR પાલિકાએ પોતે તો કંઇ ન કર્યું પરંતુ દાનમાં આવેલી વસ્તુ પણ ન સાચવી શકી, વસ્તુ અને આબરૂ બધુ ભંગાર


નેતા વિપક્ષ સુખરામ રાઠવાની સાથે જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ એ જી એફ એલ કંપનીના પાછળના ભાગે અડીને આવેલ જીતપુરા ગામની પણ મુલાકત લીઇ મૃતક અને ઇજાગ્રસ્તના પરિવાર જનોને મળી દુઃખદ ઘટના અંગે શાન્તવના પાઠવી હતી. સાથે જ હાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ઇજાગ્રસ્તોની પણ મુલાકાત લઈ કંપની અને સરકાર તરફથી વધુમાં વધુ વળતર અપાવવાની ખાતરી આપી હતી. પોતે અને કોંગ્રેસ તેઓ સાથે છે તેવો ભરોસો અપાવ્યો હતો.


અસિત વોરા અને હેડક્લાર્ક પેપરની અવળી ગણતરી શરૂ? CM નિવાસ સ્થાને હાઇલેવલ બેઠક શરૂ


ઝી 24 કલાક સાથે વાત કરતા સુખરામ રાઠવાએ કંપની સામે કાર્યવાહી કરી આગામી સમયમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ અને અધિકારીઓને રૂબરૂ મળી રજૂઆત કરવાની વાત કરી હતી. સાથે જ આ મુદ્દે આગામી વિધાનસભા સત્રમાં ચર્ચામાં મુકવાની ચીમકી સુખરામ રાઠવા એ ઉચ્ચારી હતી.બ્લાસ્ટની ઘટનાને પગલે હાલોલ આવેલા નેતા વિપક્ષે પેપર લીક મામલે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, પોતે આ મામલે મીડિયામાં નિવેદન આપ્યા બાદ ફરિયાદ નોંધાઇ છે, ત્યારે આ મામલે તેઓ વોચ ડોગની ભૂમિકામાં રહેશે. જ્યાં સરકાર આ મામલે ઢાંક પીછોડા કરશે ત્યાં વિરોધ કરવાની પણ વાત સુખરામભાઈ રાઠવાએ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube