ચેતન પટેલ, સુરતઃ ગુજરાતની લોકપ્રિય ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક હંમેશા લોકોના પ્રશ્નને વાચા આપવામાં સતત આગળ રહી છે. હવે ઝી 24 કલાકે ગુજરાતના લોકોના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે કંટ્રોલ રૂમ નામથી ખાસ કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં ઝી 24 કલાક સામાન્ય લોકોને પડી રહેલી વિવિધ મુશ્કેલી જાણીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. ઝી 24 કલાકના કંટ્રોલ રૂમ અંતર્ગત સુરતમાં સ્થાનિકોએ સરકારી અનાજના જથ્થાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ ઝી 24 કલાકના ટીમ સક્રિય થઈ અને આ સમસ્યાનું સમાધાન લાવવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયમંડ નગરી સુરતમાં ઉમરવાડા વિસ્તાર આવેલો છે. સામાન્ય દેખાતા આ વિસ્તારમાં મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારો વસવાટ કરે છે. અહીં વસતા લોકો રોજનું કમાઈને રોજ ખાય છે. આ વિસ્તારના એક-બે નહીં પણ અનેક લોકોએ અમારો સંપર્ક સાધ્યો. ઝી 24 કલાકના કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી. ફરિયાદ સરકારી અનાજના જથ્થાની હતી. સ્થાનિકોએ કહ્યું કે, અમને સરકારી અનાજનો જથ્થો જે અમારા હકનો છે તે પૂરતો મળતો નથી. તો ઘણા એવા લોકો હતા જેમને પોતાના હકનું અનાજ જ નહોતું મળતું. આ ફરિયાદ મળતાંની સાથે જ કંટ્રોલ રૂમની ટીમ સુરતના આ ઉમરવાડા વિસ્તારમાં પહોંચી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube