લાલજી પાનસુરીયા/વડતાલ: છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયની ગાદીના વિવાદનો અંત આવશે. સંપ્રદાયના આગેવાન સંતો અને હરિભક્તો દ્વારા આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે સમાધાન થાય તે માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. અને બંન્ને પક્ષો વચ્ચે સમાધાન માટે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવપક્ષના આચાર્ય પક્ષ વચ્ચે સમાધાનને લઇને દેવપ્રકાશ સ્વામીએ બેઠક અંગેની વાત કરી હતી અને બંન્ને પક્ષો સમાધાન કરે તેવી શક્યતાઓ વ્યક્તિ કરી હતી. અત્યારે વડતાલ સ્વમીનારાયણ મંદિરની ગાદી પર દેવપક્ષનું વર્ચસ્વ છે. જ્યારે ભક્તો દ્વારા પણ બંન્ને પક્ષો વચ્ચે સમાધાન થાય તેવી આશા રાખી રહ્યા છે. અને વર્ષોથી ચાલી રહેલો ગાદીનો વિવાદ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.


મોરવા હડફના ડાંગરિયા ગામે શ્વાન કરડવાથી 7 વર્ષના બાળક અને એક વૃદ્ધાનું મોત


છેલ્લા ધણા વર્ષોથી ચાલી રહેલા વિવાદનો અંતે સુખદ અંત આવે તેવી આશા દેખાઇ રહી છે. વડતાલ સ્વામીનારાયણ મંદિરના મહંતો હરિભક્તો અને સંપ્રદાયના અગ્રણી તથા બંન્ને પક્ષના સભ્યોની બેઠક મળી હતી. અને વર્ષોથી ચાલી રહેલો ગાદીનો વિવાદ હવે પૂર્ણ થાય તેવી પૂરે પૂરી શક્યતાઓ છે.


જુઓ LIVE TV :