ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 200 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 290 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 356 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે બે દર્દીના મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.98 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1,826 એક્ટિવ કેસ છે. જેમાંથી 14 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1,812 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,56,293 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. અમદાવાદમાં કોરોનાના કારણે આજે બે દર્દીના મોત થયા છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,003 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


આ પણ વાંચો:- ફરી અહીં સંભળાશે ભૂકંપનો ભોગ બનેલા લોકોની કિકયારી અને બચી ગયેલા લોકોની કહાનીઓ


જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 95 કેસ સામે આવ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં 33, સુરત કોર્પોરેશનમાં 21, રાજકોટમાં 19, રાજકોટ કોર્પોરેશનમાં 17, સુરતમાં 17, વલસાડમાં 10, બનાસકાંઠામાં 9, વડોદરામાં 8, અમરેલીમાં 6, મોરબીમાં 6, ભરૂચમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 5, સુરેન્દ્રનગરમાં 5, મહેસાણામાં 4, આણંદમાં 3, ગાંધીનગરમાં 3, જામનગર કોર્પોરેશનમાં 3, કચ્છમાં 3, નવસારીમાં 3, પંચમહાલમાં 3, પોરબંદરમાં 3, અરવલ્લીમાં 2, જામનગરમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1 ગીર સોમનાથમાં 1, ખેડામાં 1, સાબરકાંઠામાં 1 અને તાપીમાં 1 કેસ નોંધાયો છે.


આ પણ વાંચો:- ગુજરાતમાં વધુ એક ડુપ્લીકેટ નોટો ઘુસાડવાનું કૌભાંડ ઝડપાયું, પોલીસે કરી 3 આરોપીની ધરપકડ


જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 142 દર્દી સાજા થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 51, સુરત કોર્પોરેશનમાં 9, રાજકોટમાં 6, રાજકોટ કોર્પોરેશનમાં 35, સુરતમાં 5, વલસાડમાં 11, બનાસકાંઠામાં 2, વડોદરામાં 20, અમરેલીમાં 1, મોરબીમાં 4, ભરૂચમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 9, સુરેન્દ્રનગરમાં 1, મહેસાણામાં 10, આણંદમાં 5, ગાંધીનગરમાં 7, કચ્છમાં 7, નવસારીમાં 3, પોરબંદરમાં 1, ખેડામાં 1, સાબરકાંઠામાં 8, અમદાવાદમાં 2, દાહોદમાં 2, ડાંગમાં 5, દેવભૂમિ દ્વારકામાં 2, મહીસાગરમાં 1, પાટણમાં 2 અને તાપીમાં 3 દર્દીઓ સાજા થયા છે.


આ પણ વાંચો:- PM મોદી જે ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કરવાના છે એને પતંગનું સ્વરૂપ આપનારા વ્યક્તિને ઓળખો છો?


જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,81,278 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1277 ને રસીનો પ્રથમ અને 4950 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 302 ને રસીનો પ્રથમ અને 768 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 35,676 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 1002 ને રસીનો પ્રથમ અને 2464 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 3,34,839 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,26,60,710 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube