ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 600 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 661 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 692 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે બે દર્દીના મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.67 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5,862 એક્ટિવ કેસ છે. જેમાંથી 19 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5,843 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,45,080 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,980 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


ગાંધીનગર સચિવાલ પહોચ્યાં ખેડૂતો, બાકી વળતરના પૈસા ન મળતા કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા


જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 201 કેસ સામે આવ્યા છે. સુરત કોર્પોરેશનમાં 39, મહેસાણામાં 34, સુરતમાં 31, વડોદરા કોર્પોરેશનમાં 57, અમદાવાદમાં 5, રાજકોટ કોર્પોરેશનમાં 46, નવસારીમાં 18, સબરકાંઠામાં 7, ગાંધીનગરમાં 16, વડોદરામાં 25, બનાસકાંઠામાં 29, રાજકોટમાં 17, પાટણમાં 2, વલસાડમાં 6, મહિસાગરમાં 2, જૂનાગઢ કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશનમાં 5, મોરબીમાં 22, ભરૂચમાં 5, કચ્છમાં 20, પંચમહાલમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 20, તાપીમાં 5, દેવભૂમિ દ્વારકામાં 1, ભાવનગરમાં 1, આણંદમાં 5, જામનગર કોર્પોરેશનમાં 13, અમરેલીમાં 1, અરવલ્લીમાં 12, પોરબંદરમાં 4, જામનગરમાં 3 અને ગીર સોમનાથમાં 1 કેસ નોંધાયો છે


જો તમારી દીકરી ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે તો આ વાતનું રાખજો ધ્યાન, તેની એક ભૂલ તેને ભારે ના પડે


જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 171 દર્દી સાજા થયા છે. સુરત કોર્પોરેશનમાં 38, મહેસાણામાં 37, સુરતમાં 38, જૂનાગઢમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 48, અમદાવાદમાં 7, નવસારીમાં 21, સબરકાંઠામાં 15, ગાંધીનગરમાં 29, વડોદરામાં 25, બનાસકાંઠામાં 21, રાજકોટમાં 25, પાટણમાં 10, વલસાડમાં 12, મહિસાગરમાં 5, જૂનાગઢ કોર્પોરેશનમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 30, મોરબીમાં 12, ભરૂચમાં 10, ખેડામાં 3, કચ્છમાં 13, પંચમહાલમાં 8, ગાંધીનગર કોર્પોરેશનમાં 13, તાપીમાં 7, ભાવનગરમાં 7, આણંદમાં 21, જામનગર કોર્પોરેશનમાં 5 અમરેલીમાં 28, અરવલ્લીમાં 8, પોરબંદરમાં 2, જામનગરમાં 3 અને ગીર સોમનાથમાં 8 દર્દીઓ સાજા થયા છે.


અમદાવાદમાં કોરોના વચ્ચે આ બીમારીનો વધ્યો ખતરો, એક અઠવાડિયામાં કેસમાં વધારો


જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,56,452 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1,057 ને રસીનો પ્રથમ અને 4,269 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 58 ને રસીનો પ્રથમ અને 366 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 20,023 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 179 ને રસીનો પ્રથમ અને 1,337 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 2,26,163 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,89,61,997 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube