ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 20 કેસ સામે આવ્યા છે, આ દરમિયાન એક દર્દીનું મૃત્યુ થયુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 22 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8 લાખ 26 હજાર 80 થઈ ગઈ છે, તો કોરોનાને લીધે અત્યાર સુધી 10 હજાર 85 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 8 લાખ 15 હજાર 816 લોકો સાજા થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં નોંધાયેલા નવા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવસારીમાં 4 દર્દીઓ નોંધાયા છે. તો સુરત શહેરમાં 4 અને ગ્રામ્યમાં 3 કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં 3 કેસ નોંધાયા છે. વલસાડમાં નવા ત્રણ કેસ સામે આવ્યા છે. ખેડા જિલ્લામાં પણ નવા બે કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં એક નવો કેસ સામે આવ્યો છે. વલસાડ જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. 


આ પણ વાંચોઃ અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવશે, શુક્રવારે ગાંધીનગરમાં ખાસ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ  


રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 179 છે, જેમાં 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 815816 લોકો સાજા થયા છે. તો 10 હજાર 85 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 98.76 ટકા છે. ગુજરાતમાં અત્યાર સુધી 8 લાખ 15 હજાર 816 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. 


રાજ્યમાં રસીકરણના આંકડા
ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રસીકરણ અભિયાન પણ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. આજે સાંજે 4 કલાક સુધીમાં 4 લાખ 72 હજાર 739 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. તો અત્યાર સુધી 6 કરોડ 28 લાખ 55 હજાર 739 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube