ગાંધીનગરઃ ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર જતી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 33 કેસ સામે આવ્યા છે તો આ દરમિયાન 1 વ્યક્તિનું નિધન થયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 63 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 12 લાખ 23 હજાર 632 થઈ ગઈ છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 10939 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 19 કેસ સામે આવ્યા છે. તો વડોદરા શહેરમાં 3, બનાસકાંઠામાં 2, રાજકોટમાં 2, દાહોદ, ગાંધીનગર શહેર, પાટણ, મોરબી, સુરત અને તાપીમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો અમદાવાદમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. 



રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 506 રહી ગયા છે, જેમાં છ દર્દી વેન્ટિલેટર પર છે. તો કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 12 લાખ 12 હજાર 187 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10939 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 99.06 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના 10 કરોડ 39 લાખ 73 હજાર 990 ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. 


ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા શિક્ષણ વિભાગ સજ્જ, કરાઈ આ વ્યવસ્થા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube