ગાંધીનગરઃ ગુજરાતની જનતાને હવે કોરોનાથી સંપૂર્ણ રાહત મળી રહી છે. નવા કેસની સંખ્યા હવે 50ને નીચે પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 43 કેસ સામે આવ્યા છે, તો આ દરમિયાન 2 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 142 લોકો સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 12 લાખ 23 હજાર 305 થયો છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 10937 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 12 લાખ 11 હજાર 555 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ અને મોતની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 25 કેસ સામે આવ્યા છે. આ સિવાય વડોદરા જિલ્લામાં 9, સુરત જિલ્લામાં 2, અરવલ્લી, બનાસકાંઠા 1, ગાંધીનગર 2, જામનગર, રાજકોટ, સાબરકાંઠામાં એક-એક કેસ નોંધાયો છે. તો રાજકોટ અને સુરતમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. 


આ પણ વાંચોઃ વિશ્વ મહિલા દિવસ પર કચ્છમાં મહિલા સંતોના સેમીનારને પીએમ મોદી કરશે સંબોધિત


રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 813 છે. જેમાં 6 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10937 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 99.04 ટકાએ પહોંચી ગયો છે. કોરોનાને રોકવા માટે રાજ્યમાં રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. આજે સાંજે 5 કલાક સુધી રાજ્યમાં કોરોના વેક્સીનના 95942 ડોઝ આપવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી કોરોના રસીના કુલ 10 કરોડ 34 લાખ 36 હજાર 153 ડોઝ આપવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube