ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 777 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાની સારવાર બાદ 626 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10954 લોકોના મૃત્યુ થયા છે. નવા કેસ બાદ ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 12 લાખ 42 હજાર 087 પર પહોંચી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 306 કેસ, સુરત શહેરમાં 75, મહેસાણામાં 44, વડોદરા શહેરમાં 43, સુરત ગ્રામ્યમાં 38, પાટણમાં 33, ગાંધીનગર શહેરમાં 26, ગાંધીનગર ગ્રામ્ય 22, રાજકોટ શહેર 22, ભાવનગર શહેર 20, કચ્છ 18, વલસાડ 13, ભાવનગર 11, સાબરકાંઠા 11, નવસારી 10, રાજકોટ 10, વડોદરા 10, દ્વારકા 9, જામનગર શહેર 8, અમરેલી 7, આણંદ 7, ખેડા 6 કેસ સામે આવ્યા છે. તો રાજકોટમાં એકનું મોત થયું છે. 


આ પણ વાંચોઃ તીસ્તા સીતલવાડ સાથે હતી અહમદ પટેલની લિંક? આરોપો પર પુત્રી મુમતાઝ પટેલે કહી આ વાત


રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 4 હજાર 632 છે. જેમાં પાંચ દર્દી વેન્ટીલેટર પર છે. કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી રાજ્યમાં 12 લાખ 26 હજાર 501 લોકો સાજા થયા છે. તો કોરોનાને કારણે 10954 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા છે. 


ગુજરાતમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રિકોશન ડોઝ ફ્રી આપવાની શરૂઆત થઈ છે. ફરી રસીકરણ સેન્ટર પર લોકો પ્રિકોશન ડોઝ લેવા માટે લાઈન લગાવી રહ્યાં છે. રાજ્યમાં આજે સાંજે પાંચ કલાક સુધીમાં 1 લાખ 79 હજાર 931 લોકોને રસીના ડોઝ અપાયા છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ રસીના 11 કરોડ 24 લાખ 51 હજાર 380 ડોઝ આપવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube