ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 9 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 11 લોકો સાજા થયા છે અને એકપણ મૃત્યુ નોંધાયુ નથી. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 1212947 લોકો સાજા થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના 12 લાખ 23 હજાર 963 કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કોરોનાના નવા કેસની સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 2 કેસ નોંધાયા છે. તો દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, કચ્છ, પંચમહાલ, સુરતમાં એક-એક કેસ સામે આવ્યા છે. જ્યારે વડોદરા જિલ્લામાં નવા બે કેસ નોંધાયા છે. 


આ પણ વાંચોઃ જેને ગુજરાતનું શિક્ષણ સારૂ ન લાગતું હોય તે રાજ્ય છોડીને જ્યાં સારૂ લાગે ત્યાં જતા રહેઃ જિતુ વાઘાણી


રાજ્યમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 74 છે, જેમાં બે દર્દી વેન્ટિલેટર પર છે. તો 72 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10942 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર બાદ 1212947 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યનો રિકવરી રેટ 99.10 ટકા છે. 


રાજ્યમાં રસીકરણની સ્થિતિ
ગુજરાતમાં આજે સાંજે 5 કલાક સુધીમાં કોરોના વેક્સીનના 36141 ડોઝ આપવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કોરોના વેક્સીનના 10 કરોડ 63 લાખ76 હજાર 623 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube