ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના નવા 26 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 19 લોકો સાજા થયા છે. રાહતની વાત છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 8 લાખ 25 હજાર 797 થઈ ગઈ છે. કોરોનાને કારણે અત્યાર સુધી 10082 લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 7 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં પણ પાંચ કેસ નોંધાયા છે. ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર અને નડોદરામાં બે-બે નવા કેસ સામે આવ્યા છે. અમરેલી, ભાવનગર, જામનગર કોર્પોરેશન, કચ્છ, નવસારી અને વલસાડમાં એક-એક કેસ સામે આવ્યો છે. 


રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 140 છે, જેમાં 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 134 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 815575 લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે કોરોના કાળમાં ગુજરાતમાં 10 હજાર 82 લોકોના અત્યાર સુધી મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચી ગયો છે. 


ગુજરાતમાં આજે સાંજે 4 કલાક સુધી 3 લાખ 57 હજાર 297 લોકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સિનના કુલ 5 કરોડ 83 લાખ 50 હજાર 222 ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube