ઝી મીડિયા/બ્યૂરો :આજે અમદાવાદમાં 50 નવા કોરોનાના કેસનો વધારો થયો છે. તો સાથે અમદાવાદના 5 દર્દીઓના મોત નિપજ્યાં છે. એએમસીના કમિશનર વિજય નહેરાએ ગુજરાત અંગે મોટા સમાચાર આપતા કહ્યું કે, દર્દીઓનું પ્લાઝમા ડોનેશન થઈ ગયું છે. તેના બાદ આખી પ્રોસેસ ચાલી રહી હતી. ડિટેઈલ રિસર્ચ કરીને પ્લાઝમાનુ કામ ચાલી રહ્યું છે. દિલ્હી ખાતે એમસીઆરઈ સાથે ચર્ચા ચાલી રહી હતી. ગઈકાલે મોડી રાત્રે પહેલા પેશન્ટને પ્લાઝમા અપાયું છે. આ સ્ટડી માટે પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યો છે. રાજ્યમાં સૌપ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયન દ્વારા ડિલવરી કરવામાં આવી છે. જ્યારે દેશમાં આ સાતમો કિસ્સો છે. દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર SVPમાં શરૂ કરવામાં આવ્યું છે. હાલ એક દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન થયું છે. આજે વધુ દર્દીઓને આ પ્રોસેસ કરવામાં આવશે.