હિતલ પારેખ/ગાંધીનગર :સીએમઓના સચિવ અશ્ચિની કુમારે રાજ્ય સરકારના મહત્વના નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું કે, નગરપાલિકા અને મહાનગરપાલિકાની વિસ્તાર સિવાયની 98 સબ રજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી કરવામાં આવશે. જેના માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવી પડશે. તો સાથે જ ઉદ્યોગોને મળેલી છૂટછાટ અંગે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરી આપી છે. તેમાં અત્યાર સુધીમાં ૪૦ હજાર ઉદ્યોગો શરૂ થઇ ગયા છે અને એ ઉદ્યોગોમાં 5 લાખ કામદારો કામ કરી રહ્યા છે. 


....નહિ તો 15 મે સુધી અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 50 હજાર કેસ થઈ જશે : વિજય નહેરા