India vs Australia Ahmedabad Test Match : એક દિવસ પહેલા અમદાવાદના મોટેરાના નમો સ્ટેડિયમમાં અમદાવાદ ભારત વચ્ચે ટેસ્ટ મેચની શરૂઆત થઈ. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હાજર રહ્યા હતા. આ મેચ આખી દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બની રહી. પરંતું આ વચ્ચે ગુજરાતમાં હજારો લોકોને ઓડિયો-વીડિયો મેસેજ અને કોલ મળ્યા હતા. તેમજ એક વીડિયો પણ વાયરલ થયો. આ પાછળ ખાલિસ્તાનીઓનું ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે. ખાલિસ્તાનવાદી ગુરપરવંતસિંહ પન્નુએ ધમકી વાયરલ કરી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું મેસેજ વાયરલ થયા હતા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન તોફાન કરવાની ધમકી આપવામાં આવી હતી. આ બાદ એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. લોકોને મળેલા ધમકીભર્યા મેસેજની તપાસ કરવામાં આવી હતી. સાથે જ કોલને લઈને પણ તપાસ કરાઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, આ મેસેજ યુએસ સ્થિત વકીલ અને શીખ્સ ફોર જસ્ટિસના વડા ગુરપરવંતસિંહ પન્નુ દ્વારા કરવામા આવ્યા હતા. બલ્ક મેસેજ અને પૂર્વ રેકોર્ડ કરેલા કોલ વાયરલ કરાયા હતા.


ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં એવું તો શું કહ્યું કે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યુ


આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, અમે રેકોર્ડિંગનું તપાસ કરતા જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં અવાજ પન્નુનો છે. આવા મેસેજ કરવાનો હેતુ ભારત ઓસ્ટ્રેલિયાની મેચ પહેલા ભયનો માહોલ પેદા કરવાનો હતો. 


શું હતું મેસેજમાં
પન્નુના પ્રી-રેકોર્ડેડ વીડિયોમાં સામે આવ્યું કે, ગુજરાતના લોકોને 9 માર્ચના રોજ ઘરમાં રહો અને સુરક્ષતિ રહો તેવા મેસેજ મળ્યા હતા. કારણ કે, ખાલિસ્તાન તરફી શીખો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હુમલો કરશે. અને ખાલિસ્તાનનો ધ્વજ ફરકાવશો. ખાલિસ્તાન તરફી શીખો અને ભારતીય પોલીસ વચ્ચે તમે બલીનો બકરો ન બનતા. જ્યારે પન્નુએ રેકોર્ડ કરેલા મેસેજમાં વડાપ્રધાન વિરુદ્ધ કેટલીક પ્રતિકૂળ ટીપ્પણીઓ કરી કરી હતી. 


આ મેસેજમાં ખાલિસ્તાન આંદોલનમાં માર્યા ગયેલા લોકોના ફોટો પણ શેર કરાયા હતા. તેમજ ખાલિસ્તાન અલગ રાજ્ય હોવું જોઈએ તેવી માંગ પણ કરાઈ હતી. 


કચ્છમાં 40 વર્ષ ડુંગરા ખૂંદવાનું પરિણામ : કચ્છ યુનિ.એ ગેલેરી બનાવી આપ્યું બહુમાન