અમદાવાદ :રાજ્યમાં 13 અને 14 જૂન એમ બે દિવસ વાયુ વાવાઝોડાને પગલે એલર્ટ રાખવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડું જમીનને ટચ થાય કે ન થાય, પણ જ્યાં સુધી એ ગુજરાત ઉપર મંડાઈ રહ્યું છે ત્યાં સુધી તેનો ખતરો ટળ્યો નથી તેવું કહેવાય. ત્યારે આજે બપોરે આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયા કાંઠે દેખાવા લાગશે. પણ ગઈકાલ સાંજથી ગુજરાતભરમાં વરસાદ અને વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના 28 જિલ્લાના 108 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ વરસ્યો છે. સુરત, અંબાજી, ઉના, વેરાવળ, ભાવનગર, અરવલ્લી, દ્વારકા, કોડીનાર સહિત અનેક જગ્યાઓએ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, કેટલાક દરિયા કાંઠે દરિયામાં કરંટ વધ્યો છે. જેને પગલે મોજા વધુ ઊંચે ઉછળી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ સીએમ રૂપાણીને ફોન કર્યો
હાલ પીએમ મોદી વિદેશ પ્રવાસે છે, ત્યારે પીએમ મોદીએ મુખ્યમંત્રી રૂપાણીને ફોન કરીન વાવાઝોડાના અપડેટ મેળવ્યા હતા. સીએમઓ ગુજરાત દ્વારા કરવામાં આવેલી ટ્વિટમા ઉલ્લેખ કર્યો કે, વાવાઝોડાની અસર સામે પહોંચી વળવા માટે સેન્ટ્રલ ગર્વમેન્ટ તરફથી તમામ મદદ પહોંચાડવામાં આવશે. 


વાયુ વાવાઝોડાથી પોરબંદર પંથકમાં શું થઇ અસર? જુઓ વીડિયો


વાવાઝોડું ભલે ઓમાન તરફ ફંટાયું, પણ 15 જૂન સુધી ખતરો ગુજરાતના માથે મંડરાયેલો રહેશે


દરિયામાં કરંટ વધ્યો 
વેરાવળ સહિત સમગ્ર જિલલામાં સમુદ્રમાં કરંટ વધ્યો છે. તો ગઈકાલથી ભારે પવન સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. દરિયામાં આવનાર વાયુ વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર છે. ત્યારે નવસારીના ઉભરાટ દરિયા કિનારે પ્રવાસીઓને દરિયાકિનારે આવવા દેવામાં આવતા નથી. તો દરિયામાં મોજા પણ ઉંચે સુધી ઉછળી રહ્યા છે. સાથે જ સ્ટોલ પણ બંધ કરાવી પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે. જાફરાબાદ દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં 5 મીટર ઊંચે મોજા ઉછળી રહ્યાં છે. 


રોજીરોટી માટે મરણિયો પ્રયાસ : તોફાનમાં ડૂબતી બોટ બચાવવા દરિયામાં કૂદ્યા માછીમારો


આ વિસ્તારોમાં વરસાદ 
ભાવનગર ના સિંહોર, પાલીતાણા આજુબાજુના વિસ્તારો વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો હજી પણ ધીમી ધારે વરસાદ શરૂ છે. બોટાદના ગઢડા અને અજીબાજુના વિસ્તારો તથા તળાજામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. નવસારીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સાથે જ દરિયામાં વધુ કરંટને કારણે ઊંચે મોજા ઉછળી રહ્યાં છે.


વાયુનું સંકટ ટળતા ભાજપના નેતાઓ સોમનાથ દાદાની શરણે પહોંચ્યા 



વાવાઝોડાને પગલે નુકશાન
અરવલ્લીમાં આવેલ વંટોળનો માહોલ જામ્યો છે. અરવલ્લીના બાયડના તેનપુરમાં તબેલાઓને નુકશાન થયું છે. તો શણગાલ ગામ પાસે અનેક વૃક્ષો પડી ગયા છે. તંત્ર દ્વારા રાત્રિ દરમિયાન તૂટેલા વૃક્ષોને દૂર કરાયા હતા. વંટોળના કારણે વીજપોલ પણ તૂટી ગયા છે. જેથી વીજળી પૂર્વવત કરવા કામગીરી વીજ વિભાગ દ્વારા હાથ ધરાઈ છે. તો બીજી તરફ, દ્વારકામાં 100 વર્ષ જૂનુ વટવૃક્ષ તૂટ્યું પડ્યું છે. જેને કારણે રસ્તો બ્લોક થયો હતો, પણ બાદમાં તેને તાત્કાલિક હટાવી લેવાની કામગીરી કરાઈ હતી. કોડીનારના માઢવાડમાં દરિયાની થપાટથી વધુ 5 મકાન ધારાશાહી થયા છે. અહીં ગઈકાલે પણ 2 મકાન જમીનદોસ્ત થયા હતા. આમ, કોડીનારમાં કુલ 7 જેટલા મકાન ધારાશાહી થયા છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :