• આજે વિશ્વ સાયકલ દિવસ પર આ એક્સપર્ટ તબીબોએ સાઈકલિંગ કરવાના ફાયદા જણાવ્યા

  • કોઈપણ વ્યક્તિને રોજની ૩૦ મિનિટ સુધી સાઈકલિંગ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે


ઝી મીડિયા/બ્યૂરો :સાયકલિંગ એ હૃદય, ફેફસાં અને મગજ માટે શ્રેષ્ઠ કસરત કહેવાય છે. કારણ કે શરીરમાં આવેલા મોટા સ્નાયુઓ કમર અને પગના ભાગમાં હોય છે. સાયકલિંગના કારણે આ સ્નાયુઓ કાર્ય કરતા થાય છે. એટલે આખા શરીરને ઓક્સિજન અને લોહીની જરૂર પડે છે. જે હૃદય અને ફેફસા પૂરા પાડે છે. આ સાથે જ મગજને પૂરતો ઓક્સિજન મળતા એન્ડ્રોરફીન નામનો સ્ત્રાવ છૂટે છે. જેને મેડિકલ ભાષામાં હેપ્પી હોર્મોન કહેવાય અને આ હોર્મોનથી માણસનું મગજ એકાગ્ર રહે અને મન ખુશ રહે છે જેથી વ્યક્તિની કામ કરવાની ક્ષમતામા વધારો થાય છે. આજે વિશ્વ સાયકલ દિવસ (cycle day) પર આ એક્સપર્ટ તબીબોએ સાઈકલિંગ કરવાના ફાયદા જણાવ્યા. 


આ પણ વાંચો : આ લોકોને ખબર છે સાયકલનો ખરો હેતુ, જેઓ તેના વગર એક ડગલુ પણ ભરી નથી શક્તા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાયકલ ચલાવનાર ક્યારેય બીમાર પડતો નથી 


રાજકોટની સિવિલ હોસ્પિટલના ડો.પારસ જોશી આ વિશે જણાવે છે કે, સાયકલ નિયમિત ચલાવવાથી માણસનું મગજ એકાગ્ર રહે અને મન ખુશ હોય તો તેની ઈમ્યુન સિસ્ટમ ખૂબ સારી રહે છે. જેથી તે બીમાર પડતો નથી. જો કદાચ બીમાર પડે તો પણ તે વ્યક્તિની રિકવરી અન્યોની સરખામણીએ ખૂબ ઝડપી હોય છે. આમ જોઈએ તો માણસની ખુશહાલ જીવન સાયકલના બે પૈડા એટલે તંદુરસ્ત તન અને મન.


આ પણ વાંચો :બોર્ડનું પરિણામ હજી આવ્યું નથી, પણ કેવી રીતે આવશે તેની વિદ્યાર્થીઓને ચિંતા 


રોજ 30 મિનિટ સાઈકલિંગ કરવાનો ફાયદો 


કોઈપણ વ્યક્તિને રોજની ૩૦ મિનિટ સુધી સાઈકલિંગ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓએ અથવા અભ્યાસ કરવા બેસતા પહેલા ૨૦ મિનિટ જેટલુ સાયકલિંગ અને દસ મિનિટનું મેડિટેશન અચુક કરવું જોઈએ. જેનાથી તેમની એકાગ્રતામાં વધારો થશે. જે તેમના પરફોર્મન્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, તેમ ડોક્ટર પારસ જોશીએ જણાવ્યું હતું. 


આ પણ વાંચો : હિટ એન્ડ રન : બાઈક પર આંટો મારવા નીકળેલા 3 મિત્રોને કારે એવી રીતે ફંગોળ્યા કે રસ્તા પર જ જીવ ગયો