બિપરજોય વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે તે ગુજરાતના જખૌ નજીક ત્રાટકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. વાવાઝોડું ગુજરાતના કાંઠેથી હવે 170 કિમી દૂર છે. ભારે વરસાદ થવાની આશંકાના પગલે 90 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે ટકરાઈ શકે છે. અને આ સમય હોય શકે છે સાંજના 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીનો. તેથી જ એટલે જ ગુજરાત માટે આજે સાંજના 6 વાગ્યાથી રાત્રિના 9.30 વાગ્યા સુધીનો સમય ભારે છે. આજે કચ્છના જખૌ પોર્ટ નજીક બિપરજોય વાવાઝોડું ટકરાવાનું છે.


વાવાઝોડાની સ્પીડ ઘટી પણ...
ગુજરાત તરફ આગળ વધી રહેલા આ બિપરજોય વાવાજોડા અંગે રાહત કમિશનર આલોક પાંડેએ આજે એક મહત્વની માહિતી આપી છે. તેમણે કહ્યું કે વાવાઝોડા બિપરજોયે પોતાની ઝડપ ઘટાડી છે પરંતુ પવનની ઝડપ 110-125 કિમીની આસપાસ રહેશે જે ખુબ ખતરનાક છે. 


બિપરજોય વાવાઝોડાને ટ્રેક કરવા માટે Live Tracker. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube