ચક્રવાત બિપરજોયનું ગુજરાતના કાંઠે લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાના મહાનિદેશક ડો. મૃત્યુંજય મહાપાત્રના જણાવ્યાં મુજબ મધરાત સુધી લેન્ડફોલ ચાલુ રહેશે. જો કે આઈ ઓફ સાયક્લોન ('Eye Of Cyclone) હજુ કાંઠે ટકરાઈ નથી. હવામાન ખાતા  તરફથી જણાવવામાં આવ્યું છે કે આઈ ઓફ સાઈક્લોન કોઈ પણ ચક્રવાતનો સૌથી ખતરનાક ભાગ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડા લેટેસ્ટ અપડેટ
ગુજરાતના કાંઠે વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હાલ વાવાઝોડું જખૌ બંદરથી 40 કિમી દૂર છે. દેવભૂમિ દ્વારકાથી 110 કિમી દૂર છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube