નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું કે વાયુ વાવાઝોડાથી ઊભા થયેલા સંકટને જોતા ગુજરાતમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લગભગ 3.10 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દેવાયા છે અને રાહત તથા બચાવ કાર્ય માટે એનડીઆરએફની 52 ટીમોને તહેનાત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પર 'વાયુ'નું ગંભીર સંકટ, સ્થિતિ પર પીએમ મોદીની છે ચાંપતી નજર


અમિત શાહે જણાવ્યું કે તટરક્ષક દળ, નેવી, સેના અને વાયુસેનાની ટુકડીઓ તહેનાત કરાઈ છે અને વિમાનો તથા હેલિકોપ્ટરોની મદદથી હવાઈ નીગરાણી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ તોફાન પોરબંદર તથા દીવની વચ્ચે ક્યાંક ટકરાય તેવી આશંકા છે અને તેઓ લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. 


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...