અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે, વાવાઝોડું ગુજરાત સાથે નહિ ટકરાય. આ જાહેરાતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના માથા પરથી સંકટ ટળ્યું છે. જોકે, વિભાગ દ્વારા આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાની મહારાષ્ટ્ર અને ગુજરાત બંને માટે આ ખતરો હતો. પણ ગુજરાતમાં ગઈકાલથી તેની અસર શરૂ થઈ હતી. જે વાવાઝોડું ગુજરાત તરફ ત્રાટકવાનું હતું, તેનું સંકટ હવે ટળી ગયું છે. તો સાથે અન્ય રાહતના સમાચાર એ છે કે, માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વાવાઝોડાની અસર દેખાશે. સૌરાષ્ટ્રમાં તેની કોઈ અસર નહિ થાય.  


ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ થઈ, 24 કલાકમાં 29 તાલુકામાં વરસાદ પડ્યો