કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરિયા સામે તેમના જ સમાજમાંથી આક્રોશ ફાટ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભાનુબહેન બાબરિયા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય અને સમાજ કલ્યાણ કેબિનેટ મંત્રી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ દલિત સમાજના નામે તેઓ ચૂંટાયા બાદ સમાજના કોઈ કામ કરતા ન હોવા મુદ્દો ધરી સ્વયંસેવક દળ નામના દલિત સંગઠનો દ્વારા ભાનુબહેન બાબરિયા હાય હાયના નારા લગાવીને જય ભીમ લખેલા ઝંડા ફરકાવવામાં આવ્યા. જો આ મામલે તેમના ઘરે હાજર લોકોમાંથી એવો જવાબ આપતા કે તમારા મતથી ભાનુબહેન નથી ચૂંટાયા ત્યારબાદ મામલાએ વધુ તૂલ પકડ્યું હતું. 


એક આગેવાને એવું પણ કહી દીધુ કે તમે દલિત સમાજના આગેવાન છો અને તેમના નામે જ ચૂંટાયા છો. જો કામ નહીં કરો તો ફેંકાઈ જશો. તેમણે કહ્યું કે અમારા માટે કોઈ પક્ષ મહત્વનો નથી. દલિત સમાજના આગેવાન તરીકે તમે તેમના પ્રશ્નો ઉકેલો એ જરૂરી છે. અત્રે જણાવવાનું કે આ પહેલીવાર નથી અગાઉ પણ ભાનુબહેન બાબરિયા સામે વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. નવાઈની વાત એ હતી કે ભાજપના જ એક કાર્યકરે વિરોધ વ્યક્ત કરીને પત્ર પણ લખ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube