પરખ અગ્રવાલ/અંબાજી :દાંતા તાલુકામાં મહતમ ખેડૂતો સિઝનેબલ પાક મેળવી પોતાનું ઘર ગુજરાન ચાલવતા હોય છે. પણ છેલ્લા કેટલાક સમયથી વાતાવરણની અનિયમિતતાને લઇ ખેડૂતોએ પણ ખેતીવાડીનો ટ્રેન્ડ બદલ્યો છે. હવે આયુર્વેદિક ખેતી તરફ વળી રહ્યા છે. જેના થકી તેઓ મલબક કમાણી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતો આયુર્વેદિક ઔષધિની ખેતી તરફ વળ્યા
દાંતા તાલુકામાં જમીનની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે. અહીં ઢાળ ઢોળાવવાળી જમીન જોવા મળે છે. એટલુ જ નહિ, આ વિસ્તારમાં કોઈ પણ પાણીની મોટી કેનાલ કે મોટો ડેમ નથી. જેના સહારે ખેડૂતો ખેતીનો પાક લઇ શકે. છેલ્લા કેટલાક સમયથી વરસાદની અનિયમિતતાના કારણે દાંતા તાલુકાના ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જેને લઇ સિઝનેબલ પાકને મોટું નુકસાન પણ થયું હતું. આ કારણે સ્થાનિક ખેડૂતો હવે ખેતીવાડીનો ટ્રેન્ડ બદલી રહ્યા છે. દાંતા તાલુકાના કુંભારિયા પંથકમાં કેટલાક ખેડૂતોએ અનાજનું વાવેતર છોડી આયુર્વેદિક ઔષધિની સફળ ખેતી કરી છે.


આ પણ વાંચો : આ માસુમનો શું વાંક હતો? સાવકી દીકરી ગમતી ન હોવાથી પિતાએ તેને ઢોર માર માર્યો  


ગમે તે સીઝનમાં કરી શકાય છે અશ્વગંધાની ખેતી
મોટાભાગના વિસ્તારોમાં અશ્વગંધા ઔષધિનું વાવેતર કરી એક નવી રાહ ચીંધી છે. આ અશ્વગંધાની ખેતીથી ખેતીવાડીમાં મોટો ફાયદો થતા હોવાનું ખેડૂત જણાવી રહ્યા છે. ખાસ કરીને આ અશ્વગંધાની ખેતી કોઈ પણ સીઝનમાં કરી શકાય છે. તેને વાતાવરણની કોઈ જ અસર થતી નથી. સાથે જ અશ્વગંધાના છોડમાં તેના મૂળથી લઇ ફૂલ અને પાંદડાની પણ મોટી ઉપજ થતી હોવાથી વધુ આવક મળી જાય છે. આ ખેતીથી કોઈ બીજી નુકશાની થતી નથી અને આ ખેતીવાડીમાં વધુ પડતી જાળવણી પણ રાખવી પડતી નથી. સમયાંતરે પિયત આપી છોડવા મોટા થાય સાથે ફળ ફૂલ લાગી જાય તો તેને ઉખાડી લેવાય છે. તેના તમામ અંગો જુદા કરી આયુર્વેદ બજારમાં પોષણક્ષમ ભાવ સાથે તેનો નિકાલ પણ થઇ જતો હોય છે.


આ પણ વાંચો : ગુજરાત સરકારનુ મહત્વનુ પગલુ, સાર્વજનિક સ્થળોએ ગુજરાતી ભાષામાં ફરજિયાત લખાણ લખાશે


સ્થાનિક ખેડૂત તુલસીરામ જોશી કહે છે કે, આવી આયુર્વેદિક ઔષધિની ખેતીવાડીને આયુર્વેદિક નિષ્ણાતો પણ આવકારી રહ્યા છે. જ્યાં એક તરફ આયુર્વેદ ઉપચાર તરફથી લોકો વળી રહ્યાં છે, ત્યારે આયુર્વેદ ઉપચાર જે વિવિધ રોગોને જડમૂળથી નાશ કરતું હોય છે, ને આવી ખેતીવાડીથી ફરીથી આયુર્વેદ ઉપચારને પણ વેગ મળશે.


હાલમાં કુમ્ભારીયા જ નહીં પણ દાંતા વિસ્તારના અનેક ખેતરોમાં આયુર્વેદિક ખેતીવાડીની શરૂઆત થઇ છે. અશ્વગંધા ખેતીની સફળતા બાદ અન્ય આયુર્વેદિક ઔષધિની પણ ખેતી શરૂ કરવાનો વિચાર સ્થાનિક ખેડૂતો દ્વારા કરાયો છે. હાલના તબક્કે આવી ઔષધિનું વેચાણ મહત્તમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં થાય છે. ગુજરાત રાજ્ય સરકાર પણ સ્થાનિક સ્તરે આવી ખરીદી શરૂ કરે તો ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળી શકે છે.