અમદાવાદ: અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવેલા મહિલાઓના મૃતદેહની અદલાબદલી થઈ ગઈ. નસરીન નામની એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે મહિલાનું પ્રસૂતિ પહેલાં મોત નિપજ્યું હતું. તેનો મૃતદેહ કર્ણાટક મોકલવાનો હોવાથી કોલ્ડસ્ટોરેજમાં મૂકવામાં આવ્યો હતો. બીજી તરફ બાવળામાં યુવકે એક તરફી પ્રેમમાં મિત્તલ જાદવ નામની યુવતીની હત્યા કરી હતી. આ મિત્તલનો મૃતદેહ પણ અહીંના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યો હતો. બાવળાની મિત્તલ જાધવનો મૃતદેહ સ્વીકારવા જ્યારે તેના પરિવારજનો આવ્યા ત્યારે મિત્તલ જાધવના બદલે હોસ્પિટલના કર્મચારીઓએ નસરીનબાનુનો મૃતદેહ સોંપી દીધો અને મિત્તલના પરિવારજનોએ એ મૃતદેહ લઈને તેની દફનવિધિ પણ કરી દીધી. આ તરફ નસરીનના પરિવારજનો વીએસ હોસ્પિટલ પહોંચ્યા.પરંતુ કોલ્ડ સ્ટોરેજમાં નસરીનનો મૃતદેહ ન જોતાં તેઓ રોષે ભરાયા અને હલ્લાબોલ કર્યો. શરૂઆતમાં એવી વાતો થઈ કે કોલ્ડસ્ટોરેજમાંથી મૃતદેહ લાપતા થઈ ગયો અને એ મૃતદેહ ગયો તો ક્યાં ગયો. પરંતુ પછી હકીકત સામે આવી કે અખ્તરબાનુનો મૃતદેહ તો મિત્તલ જાધવના પરિવારજનોને સોંપાઈ ગયો. હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે રોષે ભરાયેલા નસરીનના પરિવારજનોએ વીએસ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વી એસ હોસ્પિટલની ઘોર બેદરકારી, મડદા ઘરમાંથી મહિલાનો મૃતદેહ જ ગાયબ


મૃતદેહ જે મહિલાનો હતો તેનું નામ નસરીન છે. આ મહિલાનું ડિલિવરી દરમિયાન મોત થયું હતું. નસરીનના પરિવારે આરોપ લગાવ્યો કે હોસ્પિટલની બેદરાકારીથી લાશની અદલાબદલી થઈ. ખુબ જ ચોંકાવનારી વસ્તુ કહેવાય કે હોસ્પિટલના મડદા ઘરમાં આવી ઘટના ઘટે. નસરીન અને મિત્તલ જાદવના મૃતદેહો બદલાઈ ગયા હોવાનું કહેવાય છે. મૃતક નસરીનનું બોડી કર્ણાટક મોકલવાનો હતો. નસરીનના પરિજનોએ વીએસ હોસ્પિટલમાં હોબાળો મચાવી દીધો અને મૃતદેહની માગણી કરી. 


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...