Anand News બુરહાન પઠાણ/આણંદ : આણંદ જિલ્લાના બોરસદના ઝારોલા ગામ પાસે ગત રાત્રીના સુમારે કાર અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાતા જંત્રાલ ગામના ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત નિપજતા ગામમાં શોક પ્રસરી ગયો હતો અને આજે બપોરે ત્રણેય યુવકોની સામુહિક અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું. જંત્રાલમાં એક સાથે ત્રણ યુવાનોની અર્થી ઉઠી  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝારોલા ગામ પાસે ગત. રાત્રીના સુમારે. સર્જાયેલા અકસ્માતમાં જંત્રાલ ગામના 32 વર્ષીય સુરેશ વજેસિંહ સોલંકી, 22 વર્ષીય જયેશ બુધાભાઈ પરમાર.અને 23 વર્ષીય  સંજય માનસિંહ સોલંકીનાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ગામના જુવાનજોધ ત્રણ દીકરાના મોતથી જંત્રાલ ગામમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. આજે સવારે પોસ્ટમોર્ટમ બાદ ત્રણેય યુવાનોના મૃતદેહ ગામમાં લાવવામાં આવતા ગામ હિબકે ચઢ્યું હતું.


બોરસદ પાસે અકસ્માતમાં ત્રણ યુવકોના મોત : કારનું એવુ પડીકું વળ્યું કે જીવ બચાવવા યુવકો બહાર નીકળી જ ન શક્યા


 


પોતાના ફેવરિટ ક્રિકેટરને બળદગાડું ચલાવતા જોઈ ફેન્સ ચોંક્યા, Videoને મળી લાખો લાઈક્સ