ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનિષ સીસોદીયા વચ્ચે શિક્ષણના મુદ્દે વિવાદ વકરી રહ્યો છે. ત્યારે દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનિષ સીસોદીયા આજે સવારે 8 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ અમદાવાદથી રોડ માર્ગે ભાવનગર જવા રવાના થયા હતા. તેઓની સાથે આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા તેમજ પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી ભાવનગર પહોંચ્યા છે. જ્યાં તેઓ ગુજરાતની શિક્ષણની પરિસ્થિતીનું નિરીક્ષણ કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓ સીધા ભાવનગર પશ્વિમ મત વિસ્તારની સ્કુલની મુલાકાતે પહોંચ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, ભાવનગરના હાદાનગર શાળા નં 62 ની મનીષ સીસોદીયાએ મુલાકાત લીધી છે. આ શાળામાં છ થી આઠ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કુલ પાંચ વર્ગખંડ છે, જેમાં પાંચ પૈકીના ચાર સ્માર્ટ ક્લાસ છે. શાળાની ઇમારતનો કેટલાોક ભાગ જર્જરિત હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સ્કૂલમાં કુલ 165 વિદ્યાર્થીઓએ અભ્યાસ કરે છે.


કોણે ડહોળ્યું વાતાવરણ! હિંમતનગરમાં અંજપાભરી સ્થિતિ વચ્ચે 13 એપ્રિલ સુધી કલમ 144 લાગૂ કરાઈ


અત્રે નોંધનીય છે કે, દિલ્લીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાની ગુજરાત મુલાકાત પહેલાં ભારતીય જનતા પાર્ટી દિલ્લીમાં જ આપ પાર્ટીની પોલ ખોલવાની શરૂઆત કરી છે. ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે મનીષ સિસોદિયાના મતક્ષેત્રમાં જ વિકાસ નથી થયો અને ગુજરાતમાં આવીને દિલ્લી મોડલની દુહાઈ આપી રહ્યા છે. દિલ્લીમાં મહોલ્લા ક્લિનિકના નામે કેવી રીતે કેજરીવાલ સરકાર લોલમલોલ ચલાવી રહી છે તેની પણ ભાજપે પોલ ખોલી છે. 


ભાજપે સવાલ પૂછ્યો છે કે તમે ટૂરિઝમ પોલિટિક્સ કરી રહ્યા છો પરંતુ દિલ્લીમાં તમે જ્યાંથી જીત્યા છો એ પરપડગંજ વિધાનસભા મત વિસ્તારમાં ફરો અને લોકોની સમસ્યાઓને ઉકેલવાનું કામ કરો. ગુજરાતમાં હાય તોબા કરવાની જરૂર નથી. ભાજપે મનીષ સિસોદિયાના મત વિસ્તારમાં રોડ પણ નથી બન્યો. તેનો વીડિયો પણ ભાજપે બનાવ્યો છે. ભાજપે સીધો આરોપ લગાવ્યો છે કે દિલ્લીમાં તમે ફેલ છો અને ગુજરાતમાં જઈને કેમ લોકોને મૂર્ખ બનાવી રહ્યા છો. ભાજપે સૂત્ર આપ્યું છે કે, મનીષ સિસોદિયાજી કુછ દિન તો ગુજારો આપકે મતક્ષેત્રમાં...


જાણો શું છે મામલો?
શિક્ષણ મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયા હતા. દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણમંત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે બંનેમાંથી કયા રાજ્યની શિક્ષણ વ્યવસ્થા મજબૂત છે તે અંગે ચર્ચા કરવાનો પડકાર મનીષ સિસોદિયાએ ફેંક્યો હતો. ગુજરાત ભાજપે દિલ્હીના શાળાઓ વિરુદ્ધ દિલ્હીના મુખ્યમંત્રી સામે ઉઠાવ્યા હતા, જેના જવાબમાં મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જિતુ વાઘાણીને ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો. હવે મનિષ સીસોદીયાના ટ્વીટ અને આમંત્રણ મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું હતું.
 
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, હું કોઇને ગુજરાત સાથે સરખામણી કરવા માંગતો નથી. કેટલાક લોકો સત્તાના મદમાં છે. તેઓ દિલ્હી અને પંજાબ જીત્યા બંને રાજ્યોનો સરવાળો ગુજરાત જેટલો નથી. ગુજરાત એવું મેદાન નથી કે એમને કોઇને હિરોગીરી કરવા મળે. મિડિયામાં રહેવા અને મિડિયા ટ્રાયલ માટે લોકો વાતો કરે છે આ ગુજરાત છે. સૌ પોતાના સંસ્કાર બતાવે, અમે અમારા સંસ્કાર બતાવ્યા છે. 


તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતે બે લોકસભામાં 26 બેઠકો આપી છે. જો તેઓ સારૂ કામ હોય તો દિલ્હીમાં લોકસભામાં કેમ બેઠકો ન આવી. રાજ્યની જનતા વચ્ચે ભુતકાળમાં અનેક પાર્ટી આવી છે, તમામ પાર્ટીને ચૂંટણી લડવાનો અધિકાર છે. પરંતુ પહેલી વાર કોઇ ભગવાન થઇ નીકળ્યા હોય એવું કરી રહ્યા છે. સોમનાથ દાદા અમારા ભગવાન અને બીજા ભગવાન અમારી જનતા જનાર્દન છે. રાજ્યની ભાજપા સરકારની કામગીરી જનતા જાણે છે માટે બધી લોકસભાની બેઠક આપી છે. અમે જવાબદારી સાથે જનતાએ આપેલી જવાબદારી સ્વીકારીએ છીએ. ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં ફરી આશીર્વાદ મળશે.


જીતુ વાઘાણીએ આપના નેતાઓ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાથમિક અને ગ્રાન્ટ ઇન માધ્યમિક મળી કુલ 40 હજાર સ્કુલ છે. રાજ્યમાં 54 સ્માર્ટ સ્કુલ છે. આવનારા દિવસોમાં 40 હજારમાંથી 6 વર્ષમાં 20 હજાર સ્માર્ટ સ્કુલ બનાવાશે. ગુજરાતમાં 70 લાખ વિદ્યાર્થી છે માટે સરખામણી કરવા કરતાં સેવા કરવામાં માનીએ છીએ. ચૂંટણી મેદાનમાં જે વાતો કરવી હશે એ કરે જનતા જેને સ્વીકારશે તે ખરું. ગુજરાતની જનતા શાણી જનતા છે અને તેમને વિકાસનો રસ્તો પકડ્યો છે. પહેલાં તેઓ 28 વર્ષ શાસનમાં આવે ત્યાર પછી સરખામણી કરે.


ઉલ્લેખનીય છે કે, મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, કાલથી બીજેપી ગુજરાત દિલ્હી સ્કૂલોની વિરુદ્ધ ટ્વીટ કરી રહી છે. ગુજરાતમાં આપના વધતા પ્રભાવ અને પંજાબ ચૂંટણીના પરિણામોથી તમે ગુસ્સે થયા છો. ભાજપ શિક્ષણની વાત ન કરે તો જ સારું છે. જિતુ વાઘાણી કહે એ જગ્યા પર અને એ દિવસે ચર્ચા કરવા હું તૈયાર છું. શિક્ષણનું ગુજરાત મોડલ સારું કે દિલ્હી મોડલ તે અંગે ચર્ચા કરીએ. સ્થળ અને સમય તમે કહો એ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube