ગાંધીનગર: કોરોના વાયરસના નવા વેરિયન્ટે ચીનમાં હાહાકાર મચાવ્યા બાદ હવે ભારતમાં પગપેસરો કર્યો છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે અને દરેક રાજ્યોને પત્ર લખીને સતર્કતા દાખવવા જણાવ્યું છે. બીજી બાજુ આજે ગુજરાત સહિત સમગ્ર દેશની હોસ્પિટલોમાં કોવિડ મોકડ્રિલનું આયોજન થયું છે. ગુજરાતમાં શિક્ષણ અધિકારી (DEO)ની સૂચના બાદ સ્કૂલોએ વાલીઓને અપીલ કરી છે કે બાળકને શરદી, ઉધરસ કે તાવ હોય તો તેમને સ્કૂલે મોકલવા નહીં. એટલું જ નહીં, સરકારે તૈયાર કરેલી કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા સ્કૂલ સંચાલકોને જણાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

32 હજાર  શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનું પાલન
અમદાવાદ DEO દ્વારા સ્કૂલોને અપાઈ કડક સૂચના આપવામાં આવી છે જેમા રાજ્યની 32 હજાર પ્રા.શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનુ પાલન કરાશે. મળતી માહિતી મુજબ અત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના આપી છે. આ સાથે જિલ્લાવાર શિક્ષણાધિકારી કોવિડ ગાઇડ લાઇનનું અમલ માટે પરિપત્ર કરશે. જેમાં હવે માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડીસ્ટન્સનુ પાલન કરાવવામાં આવશે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે વધુ એક રાજ્યવ્યાપી નિર્ણય કર્યો છે. 


આ પણ વાંચો: દર 10માંથી 7 બાળકોને હોય છે આંખોની તકલીફ, શું છે કારણો? જાણો શું કહે છે નિષ્ણાતો


આ પણ વાંચો: રોબોટિક એન્જિનિયરિંગ શું છે? જાણો આ અદભુત ફિલ્ડમાં કારકિર્દી બનાવવાના ફાયદા


આ પણ વાંચો: આ વાસણોમાં ભોજન રાંધવાથી અન્ન બની જાય છે અમૃત, આર્યુવેદમાં છે ઉલ્લેખ


અમદાવાદ શહેર અને જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલો સાથેની વીડિયો કોન્ફરન્સમાં સ્કૂલ સંચાલકોને સતર્ક રહીને કાળજી રાખવા સૂચના આપી છે. હાલ સંભવિત કોરોનાની નવી લહેરને જોતા ગુજરાતમાં ઘણી સ્કૂલો દ્વારા માસ્ક ફરજિયાત કરવામાં આવ્યાં છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની પણ વ્યવસ્થા કરવા સ્કૂલ સંચાલકોએ ખાતરી આપી છે. બીજી બાજુ સ્કૂલ સંચાલકોએ જણાવ્યું હતું કે જો કોરોના કેસમાં વધારો થશે તો અલગ અલગ વર્ગમાં 50 ટકા ક્ષમતા સાથે અભ્યાસ કરાવીશું.


આ પણ વાંચો: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો આનંદો! GPSCએ જાહેર કર્યું કેલેન્ડર


આ પણ વાંચો: Tunisha Sharma: આજે અભિનેત્રીનો અંતિમ સંસ્કાર, તુનિષા કેસમાં 17 લોકોના નિવેદન લેવાયા


આ પણ વાંચો: 1 જાન્યુઆરીથી બંધ થઇ જશે 2000 ની નોટ, 1000 રૂ. ની નોટ લેશે સ્થાન! શું છે આ સમાચાર


DEOએ આપી મૌખિક સૂચના
રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ સ્કૂલોને મૌખિક સૂચના આપી છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલી કોવિડ પ્રમાણે હવે અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં માસ્ક ફરજિયાત કરવામાં આવશે. આ ઉપરાંત કોરોનાની દહેશત વધતાં અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓના સંખ્યા 50% કરવાની માગ પણ કરી છે.