ગૌરવ પટેલ /અમદાવાદ : શહેરમાંથી બિનકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની SOG દ્વારા અટકાયત કરવામાં આવી છે. CAA લાગુ થયા બાદનો આ પ્રથમ કિસ્સો હસે કે જેમાં સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપની બે ટીમ દ્વારા શહેરનાં ચંડોળા તલાવ અને તેનીઆસપાસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. 11 બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવ્યા. SOGનાં આસિસ્ટન્ટ કમિશ્નર બી.સી સોલંકીએ જણાવ્યું કે, ઝડપાયેલા તમામ બાંગ્લાદેશીઓ મજૂરી કામ કરતા હતા. તેઓ ભારતીય નાગરિક હોવાનાં કોઇ જ પુરાવા રજુ કરી શક્યા નથી. પોલીસ પોલીસ તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશ માટે અનન્ય સેવાઓ આપનાર 8 ગુજરાતીઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા

જો કે આ તમામને બાંગ્લાદેશ ડિપોર્ટ કરતા પહેલા કોઇ ગુનાઓમાં તેમની સંડોવણી છે કે કેમ આ ઉપરાંત CAA વિરુદ્ધ શાહઆલમમાં થયેલા તોફાનોમાં પણ કોઇની સંડોવણી છે કે કેમ તેની પણ પુરતી તપાસ કરવામાં આવશે. ગુજરાતમાં બિનકાયદેસર રહેતા વિદેશી વસાહતીઓમાં સૌથી વધારે પાકિસ્તાની હિન્દુઓ અમદાવાદમાં રહે છે. ત્યાર બાદ બાંગ્લાદેશી મુસ્લિમનો આવે છે. ગત્ત મે મહિનામાં જ એસઓજી દ્વારા 47 જેટલા બિનકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપવામાં આવ્યા હતા. જે પૈકી મોટા ભાગનાંને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube