રાજકોટઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર.. ખાસ કરીને આ બે ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દ્વારકા, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો.. સૌરાષ્ટ્રમાં વરસાદે સપાટો બોલાવતા કેટલાય ગામો બેટમાં ફેરવાયા અને પાણીએ તારાજી સર્જી દીધી.. જુઓ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદની તારાજી.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નદી જેવો ધસમસતો પ્રવાહ ગામની શેરીઓમાં વહેવા લાગ્યો..
ગામની શેરીઓમાં વાહનોના બદલે હોડીઓ ચાલવા લાગી..
દ્રશ્યો એવા કે જાણે આખું ગામ બેટ બની ગયું.. 
ગગનચૂંબી ગિરનારમાંથી વરસાદનું પાણી ધોધની જેમ ઉતરવા લાગ્યું.. 


ગુજરાતીઓ બિસ્તરાં-પોટલાં તૈયાર રાખજો! હવામાન અને અંબાલાલે આપ્યાં માઠા સંકેત



ઉપલેટા પંથકમાં સતત 4 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે.. જેના કારણે સમઢીયાળા ગામમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.. હાઈવે હોય કે ખેતર તમામ બેટમાં ફેરવાય ગયું છે.. ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને પાકમાં નુકસાનીની ભીતિ છે.. અવાર નવાર પાણી ભરાવાના કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો.. 


ન માત્ર રાજકોટ જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર પરંતુ, દ્વારકા જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાટી મચાવી દીધી છે.. દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં મેઘરાજાએ તારાજી સર્જી દીધી.. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા અને કોઝ-વે પાણીમાં ડૂબી ગયા.. એટલું જ નહીં દ્વારકાથી નાગેશ્વર મહાદેવ તરફનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો.. 



કલ્યાણપુરમાં ભારે વરસાદના કારણે અનેક લોકો ફસાયા હોવાના પણ સમાચાર મળ્યા.. પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા લોકોનું NDRF દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું..  કલ્યાણપુરના પાનેલી ગામમાં ફસાયેલા ત્રણ લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું.. 


અવિરત મેઘવર્ષા અને પાણી ભરાવાના કારણે જામનગર સાંસદ પુનબહેન માડમે લોકોને સલામત સ્થળે જવાની અપીલ પણ કરી હતી.. ભારે વરસાદની તારાજી સૌથી વધુ સૌરાષ્ટ્રમાં થઈ છે.. સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો, દ્વારકા જિલ્લો, જૂનાગઢ જિલ્લો અને ગીરસોમનાથ જિલ્લો સૌથી વધુ આકાશી આફતનો સામનો કરી રહ્યા છે..