અલ્કેશ રાવ, બનાસકાંઠા: આજના આધુનિક જમાનામાં પણ સતત આદીવાસી અને આંતરિયાળ વિસ્તારમાં અંધશ્રદ્ધાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ધાનેરા પંથકમાંથી આવો જ એક અંધશ્રદ્ધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધાનેરાના ગોલા ગામે અંધશ્રદ્ધામાં પરિવારના લાખો રૂપિયા લૂંટાયા છે. થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને પરિવારના બે ભાઇઓ ને તેમના દુખો દુર કરવાની લાલચ આપી આપીને તેમની પાસેથી 35 લાખ રોકડા અને 1.70 લાખની ચાંદીની સેરવી લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂવાઓએ પરિવારના દુખનો લાભ લઇને તેમને વિશ્વાસમાં લીધો હતો. તેમણે પરિવારને કહ્યું હતું કે 82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે તમારે ચેહર માતાની બાધા રાખવી પડશે તેમ કહેતા પરિવાર ભૂવાઓની વાતમાં આવી હતો. પરિવારને થોડા સમય માટે સારુ થઇ જતાં પરિવાર ભોળવાઇ ગયો હતો. દુઃખથી બચવા ભૂવાઓએ પરિવારને એક રૂપિયાથી એક કરોડનું ખર્ચ થશે તેમ કહી ગેરમાર્ગે દોરતા પરિવારના બે ભાઈઓએ 1.70 લાખની ચાંદીની પાટો અને 35 લાખ રૂપિયા ઉછીના લાવી ભુવાઓને આપ્યા હતા. 


'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube