ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના મહેસુલ વિભાગમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. સેક્શન ઓફિસર અને નાયબ સેકશન ઓફિસરની બદલીઓ કરવામાં આવી છે. 17 સેક્શન ઓફિસરની બદલીઓ કરાઈ છે. 17 પૈકી 9 સેક્શન ઓફિસર માત્ર મહેસુલ વિભાગના બદલ્યા છે. સાથે 11 નાયબ સેકશન અધિકારીઓની પણ બદલી કરાઈ છે. મહેસુલ વિભાગના જ પાંચ નાયબ સેકશન અધિકારીઓની બદલી કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સચિવાલયમાં ફરજ બજાવતા ઉપસચિવ સંવર્ગનાં 4 અધિકારીઓની અરસપરસ બદલી કરવામાં આવેલ છે. આ સિવાય સામાન્ય સંવર્ગની વિવિધ જગ્યાઓ પર ફરજ બજાવતા વર્ગ-3 ના કુલ 11 નાયબ સેક્શન અધિકારીઓની તાત્કાલિક અસરથી અરસપરસ બદલીઓ કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં હજુ ઘણા વિભાગનાં કર્મચારીઓની અરસપરસ બદલીઓ થવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.