અતુલ તિવારી/અમદાવાદ: સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ડબલ ઋતુના કારણે લોકો બિમાર પડી રહ્યા છે. ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યભરમાં કમોસમી વરસાદ વચ્ચે કફ સીરપના દૈનિક વેચાણમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, જેનું કારણ બેવડી ઋતુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર બે મિનિટમાં આ રીતે ડાઉનલોડ કરો તલાટીની પરીક્ષાનો કોલ લેટર, જાણો વિગતવાર


ડબલ ઋતુ થવાના કારણે લોકોમાં શરદી ઉધરસની સીરપનું વેચાણ વધ્યું છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં દૈનિક 50 હજારથી વધુ કફ સીરપનું વેચાણ થઈ રહ્યું છે. વાતાવરણમાં પલટાના કારણે શરદી ઉધરસના કેસ વધતાં આરોગ્ય વિભાગ પણ સચેત થઈ ચૂક્યું છે. 


દેશભરમાં કેમ મોખરે છે મહેસાણી લીંબુની ખટાશ, શું છે એવી ખાસિયત કે અન્ય દેશોમાં પણ...


આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યભરમાં કફ સીરપના દૈનિક વેચાણમાં ધરખમ વધારો થતાં ચર્ચાનો વિષય બન્યો છે. સતત બદલાતા હવામાન તેમજ બેવડી ઋતુને કારણે કફ સીરપનું વેચાણ વધ્યું છે. રાજ્યમાં દૈનિક 50 હજારથી વધુ કફ સીરપનું વેચાણ થઈ રહ્યું છે. માર્ચ મહિનાથી સતત બદલાતા વાતાવરણને કારણે શરદી-ઉધરસ સહિત કેસો વધતા રહ્યા છે.


300 બીમારીઓનો રામબાણ ઈલાજ છે આ શાક, જાણો કઈ-કઈ રીતે કરી શકો તેનો ઉપયોગ


રાત્રીના સમયે તાપમાન 20-25 ડિગ્રી જ્યારે બપોરના સમયે તાપમાન 40-42 ડિગ્રી અનુભવતા અનેક લોકો શરદી-ઉધરસના શિકાર થતા રહ્યા છે. માવઠાને કારણે પણ લોકોમાં શરદી ઉધરસના કેસમાં વધારો જોવા મળ્યા છે. કફ સીરપનાં વેચાણમાં છેલ્લા બે મહિનામાં વધારો થયો છે, ત્યારે દૈનિક વેચાણ 50 હજાર પર જઈ પહોંચ્યું છે.


ગ્રહો-ગોચર તો આવતા આવશે પણ હાલ તો આ આગાહીએ મચાવ્યો છે આતંક! કેમ આવું દેખાય છે આકાશ?


કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ જશવંત પટેલે આ વિશે જણાવ્યું હતું કે, કોરોના મહામારી બાદથી સારવારને લઈને લોકોમાં અવેરનેસ વધી ગઈ છે પરંતુ સતત બદલાતી ઋતુઓ અને હવામાનને કારણે ગત વર્ષ કરતા આ વર્ષે 5% નો વધારો નોંધાયો છે.