યોગીન દરજી/ખેડા: કઠલાલના ગાડવેલ ગામ પાસે આવેલ વાત્રક નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા પાંચ યુવકો ડૂબ્યા છે. મહત્વનું છે, કે આ સાત યુવકો અમદાવાદના સરસપુ વિસ્તાર છે. આ તમામ યુવકોને પાણીમાંથી બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેડા જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન કુલ સાત લોકો પાણીમાં ડૂબ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. રાયકા અને ગળતેશ્વર ખાતે એક-એક યુવક ડૂબ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે કઠલાલ પાસે આવેલા ગાડવેલની વાત્રકમાં પાંચ યુવકો ડૂબ્યા છે.