Gujarat Election 2022, મુસ્તાક દલ, જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આજરોજ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની જંગી સભા યોજાઈ હતી. ખંભાળિયા વિધાનસભામાંથી ચૂંટણી લડી રહેલા આપ નેતા ઈશુદાન ગઢવીના પ્રચાર અર્થે દિલ્હીના મુખ્યમંત્રી આજરોજ ખંભાળિયા આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલે જણાવ્યું હતું કે, 8 તારીખે ઇતિહાસ રચાશે. ગુજરાતમાં પરિવર્તનની જોરાદર આંધી ઉઠી છે. 27 વર્ષમાં ભાજપમાં અહંકર અને ઘમંડ આવી ગયો છે. કોંગ્રેસ ભાજપ સાથે મળેલી પાર્ટી છે. ભાજપ કોંગ્રેસની પોલ હવે ખુલી ગઈ છે. ભાજપ કોંગ્રેસ પાસે આપ હિસાબ લેવા વાળી પાર્ટી આવી છે. ગુજરાતમાં આપની હવા ચાલી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube