હિતલ પારેખ/ગાંધીનગર :હાલ રાજ્યમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ઓનલાઈન શિક્ષણ અને ફીનો છે. વાલીઓમાં મૂંઝવણ છે કે શાળાઓ ખૂલશે કે નહિ. ત્યારે શિક્ષણમંત્રીએ શાળાઓ ખૂલવા અંગે મોટો ખુલાસો કર્યો છે. શાળાઓ ક્યારે ખૂલશે તે અંગે તેઓએ સ્પષ્ટ કહ્યું કે, હાલ શાળાઓ ચાલુ કરવા માટે કોઈ ઉતાવળ નહીં કરવામાં આવે. બાળકોના હિતનો વિચાર કરવામાં આવશે. શાળા અને કોલેજ શરૂ કરવા માટે સરકાર કોઇ ઉતાવળિયો નિર્ણય નહિ કરાય. પહેલા કોલેજ પછી 10- 12 પછી અન્ય વર્ગો શરૂ કરવામાં આવશે. આરોગ્ય વિભાગનો પણ મત રહ્યા પછી નિર્ણય લેવામાં આવશે. સ્કૂલમાં જતા પહેલા વિદ્યાર્થીઓનું બાળકોનું હેલ્થ ચેકઅપ થાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે પછી જ નિર્ણય લેવાશે. 


દિવસમાં બે વાર દર્શન આપીને ગાયબ થઈ જાય છે ગુજરાતનું આ મંદિર 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING