ખેડાઃ અષાઢી બીજ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં રથયાત્રા નિકળી છે. ડાકોરમાં પણ આજે રથયાત્રા નિકળી હતી, જેમાં રથયાત્રામાં સામેલ હાથીએ માનસિક સંતુલન ગુમાવી દેતાં થોડો સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રથયાત્રામાં હાથીને પણ સામેલ કરવાની એક પ્રાચીન પરંપરા છે. જે મુજબ દરેક જગ્યાએ નિકળતી રથયાત્રામાં હાથીઓને સામેલ કરવામાં આવતા હોય છે. ગુરૂવારે ડાકોરમાં નિકળેલી રથયાત્રામાં સામેલ એક હાથીએ અચાનક જ માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. હાથી ગુસ્સે થઈને આગળનો એક પગ ઊંચો કરીને ગોળ-ગોળ ફરવા લાગ્યો હતો. 


ડાકોરની રથયાત્રામાં ભગવાનને પણ  હાથીની અંબાડીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. હાથી ઉપર મંદિરના મહંત ગોપાલજી મહારાજ પણ ભગવાન સાથે બિરાજમાન હતા. હાથી અચાનક માનસિક સંતુલન ગુમાવી બેસતાં આમતેમ ફરવા લાગ્યો હતો, જેના કારણે વૈષ્ણવભક્તોમાં દોડધામ મચી ગઈ હતી. 


જૂઓ... અમદાવાદની ગલીઓમાં ગુંજી ઉઠ્યો 'જય રણછોડ, માખણ ચોર'નો નાદ


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...