ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યનાં મહાનગરોએ બજેટમાં કરવેરામાં વધારો ઝીંક્યો છે. મનપા પાસે આમ કરવા પાછળનાં કારણો પણ છે. જો કે કરવેરામાં વધારાથી મહાનગરોમાં રહેતા લોકોનાં ખિસ્સા પર વધારાનો બોજ પડ્યો છે. મોંઘવારીમાં મહાનગરોમાં રહેવું વધુ મોંઘુ બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતનાં મહાનગરોમાં લોકોએ મોંઘવારીના વધુ એક ડોઝનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. રાજ્ય સરકારનાં બજેટ પહેલાં એક બાદ એક મહાનગરપાલિકાઓ પોતાના વાર્ષિક ડ્રાફ્ટ બજેટ રજૂ કરી રહી છે, જેમાં જુદા જુદા વેરામાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને જામનગર મનપાએ પોતાનાં વેરામાં 10 ટકાથી લઈને 50 ટકા સુધીનો વધારો કર્યો છે..


આસુમલની જિદગી જશે જેલમાં: ભક્તોની દુઆ ન આવી કામ, રક્ષક બન્યો હતો ભક્ષક


અમદાવાદની વાત કરીએ તો શહેરમાં 10 વર્ષ બાદ મિલ્કત વેરામાં વધારો કરાયો છે. મ્યુનિસિપલ કમિશ્નર એમ.થેન્નારસનને સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરેલા વર્ષ 2023-24નાં ડ્રાફ્ટ બજેટનું કદ 8400 કરોડ રૂપિયાનું છે, જે ગત વર્ષની સરખામણીમાં 289 કરોડ રૂપિયા વધુ છે. બજેટની જોગવાઈમાં વેરામાં કરાયેલો 475 કરોડ રૂપિયાનો વધારો ઉડીને આંખે વળગે તેવો છે. રહેણાંક મિલ્કતો માટેનો વેરો ચોરસ મીટર દીઠ 7 રૂપિયા વધારીને 23 રૂપિયા કરાયો છે. જ્યારે કોમર્શિયલ મિલ્કતોનાં વેરાને ચોરસ મીટર દીઠ 9 રૂપિયા વધારીને 37 રૂપિયા કરાયો છે.  જો કે, પાણી અને કન્ઝર્વન્સી વેરામાં હાલ કોઈ વધારો ન કરાયો નથી. 


ગુજરાતના ખેડૂતો આનંદો! ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતો માટે મોદી સરકારને કરી આ ભલામણ


અમદાવાદનાં બજેટમાં આઠ નવા ફ્લાય ઓવર અને 5 આઈકોનિક રોડ બનાવવાની દરખાસ્ત કરાઈ છે.  સત્તાધાર ચાર રસ્તા, નરોડા પાટીયા, વાડજ જંકશન, ચાંદલોડિયા ખોડિયારનગર રેલવેલાઈન, પંચવટી જંકશન, માનસી જંકશન, વિસત જંકશન અને પાંજરાપોળ જંકશન પર ફ્લાય ઓવર બનાવવાની દરખાસ્ત છે.  ઓવર બ્રિજ માટે 578 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ખારીકટ કેનાલનાં વિકાસ માટે 1338 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.


સિંગતેલના ભાવમાં ભડકો: ગૃહિણીઓના બજેટ ખોરવાશે, ડબ્બા દીઠ કેટલો થયો વધારો?


સુરત મહાનગરપાલિકાએ રજૂ કરેલા 7707 કરોડ રૂપિયાનાં ડ્રાફ્ટ બજેટમાં રહેણાંક અને બિન રહેણાંક મિલકતો માટેનાં વેરામાં વધારો કર્યો છે. 12 વર્ષ બાદ 307 કરોડ રૂપિયા જેટલા નવા વેરો શહેરીજનો પર ઝીંકવામાં આવ્યા છે. GFXIN રહેણાંક મિલ્કતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર 4 રૂપિયા અને બિન રહેણાંક મિલ્કતોના સામાન્ય વેરાના દરમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે. સામાન્ય વેરામાં અંદાજે 152.18 કરોડ રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે યુઝર ચાર્જીસમાં અંદાજીત વધારો રૂપિયા 148.66 કરોડનો છે.. પાણીના મીટરના ચાર્જમાં પણ 6 કરોડ રૂપિયાનો વધારો કરાયો છે. GFXOUT સુરત શહેરમાં ત્રણ નવા ઓવરબ્રિજ બનાવવાની બજેટમાં જોગવાઈ કરાઈ છે. 


પાટીદાર યુવકે વોટ્સએપ પર 'સોરી મમ્મી' લખીને જીવન ટૂંકાવ્યું, 4 દિવસ પહેલાં જ....


રાજકોટ મનપાએ વર્ષ 2023-24 માટે રૂપિયા 2586 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. બજેટમાં પાણી અને સફાઈ સહિતનાં તમામ વેરામાં તોતિંગ વધારાની દરખાસ્ત કરવામાં આવી છે. GFXIN રહેણાંક ઈમારતો માટેનો મિલકત વેરો ચોરસ મીટર દીઠ 11 રૂપિયાથી વધારી 13 રૂપિયા કરવાની દરખાસ્ત કરાઈ છે. જ્યારે બિન રહેણાંક પ્રોપર્ટીનો વેરો 22 રૂપિયાથી વધારીને 25 રૂપિયા કરવાની દરખાસ્ત છે. વાર્ષિક પાણીવેરો 840 રૂપિયાથી વધારી 2400 રૂપિયા કરવાની દરખાસ્ત છે...બિન રહેણાંક વિસ્તારોમાં પાણી વેરો 1680 રૂપિયાથી વધારીને 4800 રૂપિયા કરવાની દરખાસ્ત છે. રહેણાંક વિસ્તારોમાં કચરો ઉપાડવાના દૈનિક ચાર્જને એક રૂપિયાથી વધારીને 2 રૂપિયા કરવાની અને કોમર્શિયલ વિસ્તારો માટે કચરો ઉપાડવાનાં દૈનિક ચાર્જને 2 રૂપિયાથી વધારીને 4 રૂપિયા કરવાની બજેટમાં દરખાસ્ત છે. 


સારા પગારની નોકરી છોડીને આ ખેડૂતે શરૂ કરી બાજરીની ખેતી, મોદી પણ કરી ચૂક્યા છે વખાણ


જામનગર મનપાએ પણ પોતાનાં ડ્રાફ્ટ બજેટમાં કરવેરા વધાર્યા છે. વર્ષ 2023-24 માટે 1079 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે.  141 કરોડ રૂપિયાની પુરાંત સાથેનાં ડ્રાફ્ટ બજેટમાં શહેરીજનો પર વધારાનો 53 કરોડનો બોજ ઝીંકાયો છે. પાણી અને મિલકત વેરામાં વધારો કરવાની બજેટમાં દરખાસ્ત છે. 


પશુપાલકોની ઝોળીમાં આવશે વધુ રૂપિયા, રાજકોટ દૂધ ઉત્પાદક સંઘે દૂધના ભાવમાં કર્યો વધારો


વેરામાં વધારા માટે મનપાનાં સત્તાધીશો મોંઘવારીને જવાબદાર ગણાવે છે. જો કે સામાન્ય નાગરિકો માટે તો વેરામાં વધારો પણ મોંઘવારીમાં વધારો છે. વેરામાં વધારાથી ગુજરાતનાં મહાનગરોમાં રહેવું વધુ મોંઘુ બનશે. સંપત્તિના માલિકો અને ભાડુઆતો પર વેરાનો બોજ આવશે. જો કે હવે મનપા સમક્ષ લોકોની અપેક્ષાઓ પણ વધશે. સ્વચ્છતા, સારા રસ્તા અને સ્વચ્છ પાણી આપવાની જવાબદારીને મનપાએ યોગ્ય રીતે નિભાવવી પડશે. તો જ વેરામાં વધારાનો હેતુ સિદ્ધ થઈ શકશે.