રાજકોટ : મુન્દ્રાની પરિણીતાએ પૂર્વપ્રેમી પર દુષ્કર્મનો કેસ દાખલ કરાવ્યો છે. જંગલેશ્વરમાં રહેતા પૂર્વ પ્રેમી શાહરૂખ ઉર્ફે જાવલા વિરુદ્ધ પોલીસે ફિરયાદ દાખલ કરી છે. આ પરિણીતાને ફેસબુક દ્વારા શાહરૂખ સાથે પ્રેમ થયો હતો. જો કે પીડિતાને શાહરૂખ પરણીત હોવાની જાણ થતા તેની સાથે સંબંધ કટ કરી નાખ્યો હતો. અન્ય યુવક સાથે લગ્ન કર્યા હતા. જો કે અંતિમ વખત મળવાનું વારંવાર દબાણ થવાનાં કારણે પરિણીતાને મળવા હતી. જ્યાં દગો કરીને મિત્રના ઘરે તેના પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ દાખલ પરિણીતાએ કરી છે. પોલીસે જાવલો ઉર્ફે જાવેદ અબ્દુલ સુમરા અને તેની મદદ કરનારા મિત્ર મહેબુબ સામે દુષ્કર્મ અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : કોન્ટ્રાક્ટરની લાલીયાવાડી, 100 ફુટ ઉંચે મજુરોને સુરક્ષા વગર કામે લગાવ્યા
પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, 6 મહિના પહેલા જ તેના લગ્ન મુન્દ્રાના એક યુવાન સાથે થયા હતા. જો કે એક મહિના પહેલા જ તે રાજકોટ પરત આવી હતી. લગ્ન પહેલા તે જંગલેશ્વરનાં શાહરુખ સાથે પરિચયતમાં હતી. ત્યાર બાદ બંન્ને એક બે વખત મળ્યા હતા. શાહરૂખે પોતે કુંવારો હોવાની વાત કરતા બંન્નેનો પ્રેમ સંબંધ આગળ વધ્યો હતો. જો કે શાહરૂખ પરણીત હોવાની જાણ થતા તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. અન્ય યુવક સાથે લગન કરી લીધા હતા. જો કે પતિને શાહરૂખ સાથેના સંબંધ અંગે માહિતી મળી હતી. 


દેશભરનાં બિનકાયદેસર કોલસેન્ટરને સોફ્ટવેર આપનારા અમદાવાદી માસ્ટરમાઇન્ડની ધરપકડ
રાજકોટ આવ્યા બાદ આરોપી શાહરૂખ પીડિતાને એસટી બસ સ્ટેશનથી એક્ટિવામાં બેસાડી હસનવાડી તરફ લઇ ગયો હતો. અહીં શાહરૂખે મિત્રના રૂમમાં લઇ જઇને પીડિતા સાથે સંબંધ રાખવો જ છે તેમ કહીને દુષ્કર્મ ગુજાર્યું હતું. જો કોઇને કહીશ તો મુન્દ્રા નહી પહોંચવા દઉ તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ તેને રેલવે સ્ટેશને મુકી દીધી હતી. પતિને આ અંગે વાત કરતા પતિએ ફરિયાદ નોંધાવવા કહ્યું હતું. તે રાજકોટ પરત આવી હોટલમાં રોકાયા બાદ પ્રેમીની દગાખોરી અને બળાત્કારની પીડા સહન નહી થતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube