મૌલિક ધામેચા/અમદાવાદ : હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમદાવાદમાંથી નકલી એસપીજી અધિકારી ઝડપાયો છે. જેની પાસેથી 6 બનાવટી આઈ કાર્ડ પણ મળી આવ્યા છે. 


ગીતા મંદિર નજીકથી કાગડાપીઠ પોલીસે આરોપી વિપુલ ગોહેલની ધરપકડ કરતા જાણવા મળ્યું હતું કે, પોતે એસપીજી અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને લોકોને ડરાવતો હતો. જોકે પોલીસે તેને ઝડપી તેની પાસેથી એક એરગન અને એક કાર કબજે કરી છે. .મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે ત્યારે એસપીજીના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને વિપુલ ગોહેલ શા માટે અમદાવાદ આવ્યો હતો? તે અંગેની પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની ટીમ વધુ પૂછપરછ કરશે. હાલ તો તેની પાસેથી એસપીજીના આઠ અને સીઆઈએસએફના 6 બનાવટી આઈ કાર્ડ પણ કબજે કરવામાં આવ્યા છે.