અમદાવાદઃ એકતરફ ઓછો વરસાદને કારણે પાક નિષ્ફળ જવાનો ડર તથા સતત થઈ રહેલા ભાવ વધારાથી પરેશાન ખેડૂતો આક્રમક મૂડમાં આવી ગયા છે. ગઈકાલે કાલાવડના આસપાસના 10 ગામના ખેડૂતોએ સરદાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. તો આજે સુરેન્દ્રનગર, જેતપુર તથા મોરબીમાં ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. મોરબીમાં ખેડૂતોએ રસ્તાઓ પર લસણ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો. તો જેતપુરમાં ખેડૂતોએ ગળામાં દોરડા બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરેન્દ્રનગરમાં ચાર ધારાસભ્યોની આગેવાનીમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરેન્દ્રનગરમાં આજે મોટી સંખ્યામાં વિવિધ તાલુકાઓનાં ખેડૂતો ભેગા થયા હતા અને કલેકટર કચેરીએ વિરોધ કરાયો હતો. ચાર ધારાસભ્યોની આગેવાનીમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. કલેકટર કચેરી ખાતે દેખાવો યોજવામાં આવ્યા હતા. પાકવીમાનું યોગ્ય વળતર આપવામાં આવે. પુરતું પાણી આપવામાં આવે સાથે જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાથી માંડીને પડતર માગ મુદ્દે ખેડૂતોએ કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસનાં કાર્યકરો પણ જોડાયા હતા. ખેડૂતો દ્વારા વિશાળ રેલીનું પણ આયોજન કરાયું હતું. ખેડૂતોએ છાજીયા લઇને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ પડતર માગોને પુરી કરવા આહવાન કર્યુ હતુ.


તો જેતપુર તાલુકામાં ખેડૂતો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. નવતર વિરોધ ખેડૂતો દ્વારા ગળામાં દોરડા બાંધી ફાસો આપતા હોય તેમ એક સાથે દોરડા બાંધીને વિરોધ કર્યો હતો. મામલદાર કચેરીએ ખેડૂતો બેનર સાથે પહચ્યા હતા. પાણીની પાઇપ લાઈન નાખવા બાબતે ખેડૂતોને કાયમી ધોરણે ભાડાપટાની લીઝ ઉપર આપવી. આર ઓ યુ 25મીને બદલે 9 મીટર રાખવી. બિનખેતી વિસ્તારમાં ચાલતી પાઇપ લાઈનની કામગીરીમાં ખેડૂતોને ચાર ગણું વળતર આપવું અને જ્યાં પાઇપ લાઈનની કામગીરી પુર્ણ થઇ છે. ત્યાં ખેડૂતોને પાકનું નુકશાનીનું વળતર આપવામાં આવે જેવી માગણીઓને લઇને ખેડૂતોએ વિરોધ કર્યો હતો. 


મોરબીના ઘુંટુ ગામે રોડ ઉપર લસણના ઢગલા કરીને ખેડુતોએ પોતાનો વિરોધ છે. માર્કેટ યાર્ડમાં ભાવ નહીં મળતા નારાજ થયેલા ખેડુતોએ લસણ રોડ ઉપર ફેંકીને વાહન દોડાવ્યા હતા. પીપરથી પણ સસ્તામાં લસણ એક કિલો વેચાતુ હોવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.