અમદાવાદ : ભારે વરસાદ,માવઠા,વાવાઝોડા અને સરકારી સહાયની જાહેરાત બાદ વધુ એક હવામાન ખાતાની માવઠાની આગાહી વચ્ચે ઓલપાડના ખેડૂતો ૧૦ ટકા બચી ગયેલા પાકને ખેતરથી ઘર સુધી લઇ જવા બન્યા મરણીયા બન્યા છે. વાત કરીએ ઓલપાડ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતોની. આ વરસે કુદરતી આફત વચ્ચે એકલો રહી ગયેલો લાચાર ખેડૂત સરકાર પાસે આશ લગાવી બેઠો છે. સરકારે પહેલા ૭૦૦ કરોડ પછી 3795 કરોડની જાહેરાત કરી ખેડૂતોમાં ખુશી હતી કેમકે નુકશાનીનું મહદ અંશે વળતર મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરમાં બની ઐતિહાસિક ઘટના: માત્ર 30 સેકન્ડમાં પત્તાના મહેલની જેમ તોડાયા 118 મીટર ઊંચા 2 કુલિંગ ટાવર


રાજકોટ : રોજ 50-60 કિલો વજન ઉંચકનાર રેપિસ્ટ દારૂના નશામાં બાળકીને ગાદલા સાથે ઉંચકીને લઈ ગયો


સરકારી મદદની આશા વચ્ચે હવામાન ખાતાએ ફરી એકવાર આગાહી કરી છે કે દક્ષીણ ગુજરાતમાં ૪ અને ૫ ડીસેમ્બર દરમ્યાન માવઠું થશે. બસ આ આગાહી બાદ ઓલપાડના ખેડૂતો બેબાકળા બની ગયા છે, કારણ કે અનેક આફત બાદ પણ બચી ગયેલો ૧૦ ટકા ડાંગરનો તૈયાર પાક ખેડૂતોના ખેતરમાં ઉભો છે. હવામાન ખાતાની આગાહી બાદ ખેડૂતો ડાંગરનો ઉભો પાક મજુરો બોલાવી કપાવી રહયા છે. ઓલપાડ તાલુકામાં ઠેરઠેર ડાંગર ઝૂરતા મજુરો જોવા મળી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube